રસ્તાઓની હાલત સુધરે તે માટે ભાજપના નેતાઓએ અવાર-નવાર કરવી જોઈએ ગુજરાતની મુલાકાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 11:46:00

ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા અનેક કેન્દ્રીય મંત્રી આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જઈ ભાજપ દ્વારા કરવામાં આવેલા કાર્યો લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ જ કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ ભાવનગરના પ્રવાસે આવ્યા હતા. ત્યારે રસ્તાની સારી હાલત જોઈ તેમણે ટ્વિટ કર્યું હતું. જે બાદ ભાવનગરના યુવરાજે ટ્વિટ કરતા રાજકારણ ગરમાયું છે. યુવરાજે કહ્યું કે ભાજપના મંત્રીઓ આવે ત્યારે જ રસ્તાનું સમારકામ થાય છે

કિરણ રિજ્જુએ કર્યા રસ્તાઓના વખાણ  

વરસાદને કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. દરેક રસ્તાની હાલત અતિ બિસ્માર થઈ ગઈ છે. રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા છે. જેને કારણે અનેક લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. પરંતુ આ રસ્તાઓ પરથી જ્યારે કોઈ નેતા એમાં પણ ભાજપના નેતા પસાર થવાના હોય છે ત્યારે રાતો રાત રસ્તાનું સમારકામ કરી દેવામાં આવે છે. આ વાત બધા જાણે છે. ત્યારે હાલ ગુજરાતમાં ચૂંટણીને કારણે અનેક ભાજપના નેતાઓ આવી રહ્યા છે. ત્યારે ભાવનગરના પ્રવાસે કેન્દ્રીય કાયદા મંત્રી આવ્યા હતા. સારા રસ્તાના તેમણે વખાણ કર્યા હતા. તેમણે વિડીયો પણ પોસ્ટ કર્યો હતો.

 

ભાજપના નેતાઓ આવે છે ત્યારે જ સુધરે છે રસ્તાની હાલત- યુવરાજનો કટાક્ષ

કિરણ રિજ્જુના ટ્વિટ પર ભાવનગરના યુવરાજે ટિપ્પણી કરી છે. વળતો જવાબ આપતા તેમણે ટ્વિટ કરતા કહ્યું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સુધરી રહ્યા છે તેમાં કોઈ શંકા નથી. જો, કે શહેરની અંદરના ઘણા રસ્તાઓ એકદમ ખરાબ હાલતમાં છે .અને મોટાભાગે રસ્તાઓનું સમારકામ ભાજપના મંત્રીઓ જ્યારે આવે છે ત્યારે જ કરવામાં આવે છે. અમે આશા રાખીએ છીએ કે તેઓ બધા અવારનવાર અમારી મુલાકાત લે જેથી રસ્તાઓની દશા સુધરતી રહે.        




એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.