ગુજરાત ગૌરવ યાત્રાનો સહારો લઈ ભાજપના નેતાઓ કરી રહ્યા છે આપ અને કોંગ્રેસ પર પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 10:20:07

ગુજરાત ગૌરવ યાત્રા કરી ભાજપનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાની ઉપસ્થિતિમાં ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે ખેડાના માતર જિલ્લામાં ઉપસ્થિત ગોરધન ઝડફિયાએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના ભાષણમાં તેમણે અરવિંદ કેજરીવાલ તેમજ રેવડી કલ્ચરને લઈ ટિપ્પણી કરી હતી. સાથે સાથે કોંગ્રેસ પર પણ શાબ્દિક પ્રહાર કર્યા હતા.    

આમ આદમી પાર્ટી તેમજ કેજરીવાલ પર કર્યા પ્રહાર

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે. ગુજરાતને ભાજપનું ગઢ ગણવામાં આવે છે. ત્યારે 2022 વિધાનસભામાં પણ ગુજરાતમાં કમલ ખીલે તે માટે ભાજપ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતું રહે છે. ત્યારે ગોરધન ઝડફિયાએ પણ પોતાના સંબોધનમાં કોંગ્રેસ તેમજ આપ પર નિશાન સાધ્યું હતું. આપ પર પ્રહાર કરતા કહ્યું કે અહીંયા મફતની રેવડી વહેવચા આવી રહ્યા છે, એમને પૂછો અહીં ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપશે? 


ગુજરાતમાં આપની એક પણ સીટ નહીં આવે - ઝડફિયા 

વધુમાં તેમણે કહ્યું કે તમારા તો 6 મંત્રીઓ જેલમાં છે. બીજાની જેલમાં જવાની તૈયારી છે. શરમ નથી આવતી ગુજરાતમાં મફતનું આપવાની વાત કરો છો? એનો વાંધો નથી. ગુજરાતમાં એક સીટ નહીં આવે જેટલી તાકાત લગવી હોય તેટલી લગાવી લો. ઉપરાંત કોંગ્રેસ તો ક્યાંય દેખાતી નથી. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.