ગુજરાત ગૌરવ યાત્રાનો સહારો લઈ ભાજપના નેતાઓ કરી રહ્યા છે આપ અને કોંગ્રેસ પર પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 10:20:07

ગુજરાત ગૌરવ યાત્રા કરી ભાજપનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાની ઉપસ્થિતિમાં ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે ખેડાના માતર જિલ્લામાં ઉપસ્થિત ગોરધન ઝડફિયાએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના ભાષણમાં તેમણે અરવિંદ કેજરીવાલ તેમજ રેવડી કલ્ચરને લઈ ટિપ્પણી કરી હતી. સાથે સાથે કોંગ્રેસ પર પણ શાબ્દિક પ્રહાર કર્યા હતા.    

આમ આદમી પાર્ટી તેમજ કેજરીવાલ પર કર્યા પ્રહાર

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે. ગુજરાતને ભાજપનું ગઢ ગણવામાં આવે છે. ત્યારે 2022 વિધાનસભામાં પણ ગુજરાતમાં કમલ ખીલે તે માટે ભાજપ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતું રહે છે. ત્યારે ગોરધન ઝડફિયાએ પણ પોતાના સંબોધનમાં કોંગ્રેસ તેમજ આપ પર નિશાન સાધ્યું હતું. આપ પર પ્રહાર કરતા કહ્યું કે અહીંયા મફતની રેવડી વહેવચા આવી રહ્યા છે, એમને પૂછો અહીં ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપશે? 


ગુજરાતમાં આપની એક પણ સીટ નહીં આવે - ઝડફિયા 

વધુમાં તેમણે કહ્યું કે તમારા તો 6 મંત્રીઓ જેલમાં છે. બીજાની જેલમાં જવાની તૈયારી છે. શરમ નથી આવતી ગુજરાતમાં મફતનું આપવાની વાત કરો છો? એનો વાંધો નથી. ગુજરાતમાં એક સીટ નહીં આવે જેટલી તાકાત લગવી હોય તેટલી લગાવી લો. ઉપરાંત કોંગ્રેસ તો ક્યાંય દેખાતી નથી. 




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.