મતદારને આકર્ષવા માટે BJPના નેતાઓએ અપનાવ્યો ભક્તિનો માર્ગ! Vijapur વિધાનસભાના C J Chavda અને Jairajsinh Parmarએ અનોખી રીતે કર્યો પ્રચાર


  • Published By :
  • Published Date : 2024-05-05 16:46:18

ગુજરાતમાં લોકસભા બેઠકો માટે તો મતદાન થવાનું છે પરંતુ વિધાનસભાની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાવાની છે... જનતા સુધી પહોચવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવવામાં આવી રહ્યા છે ઉમેદવારો દ્વારા. અવનવા પ્રયોગો કરાઈ રહ્યા છે.. ત્યારે વિજાપુર વિધાનસભાના બીજેપી નેતા સી.જે.ચાવડા અને જયરાજસિંહ પરમાર દ્વારા અનોખો રસ્તો અપનાવવામાં આવ્યો છે. રાત્રે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયે સમગ્ર વિસ્તારના મહિલા ભજન મંડળો બોલાવી સત્સંગનો કાર્યક્રમ યોજ્યો હતો..

મતદાર સાથે જોડાવા અપનાવાય છે અનોખા રસ્તા 

ચૂંટણી વખતે નેતાઓ માટે મતદાર ભગવાન સમાન હોય છે...! મત રૂપી આશીર્વાદ નેતાઓને મળે તેવી આશા તે રાખતા હોય છે.. મતદારને રિઝવવા માટે અવનવા પ્રયોગો કરવામાં આવે છે ઉમેદવાર દ્વારા. પ્રચાર દરમિયાન કોઈ ઉમેદવાર બળદગાડામાં દેખાય છે તો કોઈ વખત ઉમેદવાર ટ્રેક્ટર પર સવાર થયેલો દેખાય છે.. સામાન્ય લોકો સાથે જોડાવાનો પ્રયોગ નેતાઓ કરતા હોય છે.. ત્યારે પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર દ્વારા નવો જ રસ્તો અપનાવવામાં આવ્યો છે.. 




મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયમાં ભજનનો રખાયો કાર્યક્રમ

વિજાપુર વિધાનસભાના બીજેપી નેતા સી.જે.ચાવડા અને જયરાજસિંહ પરમાર દ્વારા અનોખો રસ્તો અપનાવવામાં આવ્યો છે. જ રાત્રે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયે સમગ્ર વિસ્તારના મહિલા ભજન મંડળો બોલાવી સત્સંગનો કાર્યક્રમ યોજ્યો હતો.. મહત્વનું છે કે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે કારણ કે ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે... 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.