અરવલ્લીમાં નેતાજીના પુત્રએ શસ્ત્રપૂજાના દિવસે ફાયરિંગ કર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 17:10:54

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને લાગી રહ્યું છે કે ભાજપ નેતાના પુત્રો જ ભાજપ નેતાઓના રાજકીય કારકિર્દી પર લાલ ચોકડી મારવા તલપાપડ છે. જૂનાગઢના ભાજપના નેતાએ ગઈકાલે એક યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો ત્યારે આજે અરવલ્લી જિલ્લા પંચાયતના ભાજપના પ્રમુખના પુત્રએ ફાયરિંગ કર્યાના સમાચાર આવી રહ્યા છે. 


દશેરા પર ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો 

અરવલ્લી જિલ્લા પંચાયતના ભાજપના પ્રમુખ લાલસિંહ ચૌહાણના પુત્ર વીરભદ્રસિંહે ફેસબુક પર એક વીડિયો મૂક્યો છે. દશેરાના દિવસે વીરભદ્રસિંહે બંદૂકથી ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો છે. આ વીડિયોમાં ભાજપના નેતાનો પુત્ર શસ્ત્રપૂજાના દિવસે શસ્ત્રથી પોતાની રાજકીય શક્તિનું પ્રદર્શન કરતો જોવા મળી રહ્યો છે. 

આવા લોકોની દબંગાઈ ક્યારે બંધ થશે?

આજે વિજયા દશમીનો પાવન પર્વ છે. આજના જ દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કરીને અસત્ય પર સત્યની વિજયને પ્રસ્થાપિત કરી હતી. પરંતુ આવા કળિયુગના કાયદાઓથી ના ચાલતા લોકોની નેતાગીરી કે દાદાગીરી ક્યારે રોકાશે? ભારતીય સંસ્કૃતિમાં પૂજાનું એક આધ્યાત્મિક મહત્વ રહ્યું છે. આજના દિવસે રાજપૂતો પોતાના શસ્ત્રોની પૂજા કરે છે. જી હાં! પૂજા કરે છે.. પરંતુ અહીં તો શસ્ત્રોનું પ્રદર્શન થઈ રહ્યું છે. આવા લોકોને કાયદાનો કોઈ જ ડર નથી હોતો. તેમને એવું હોય છે કે કાયદો તો અમારી પગની પાનીએ છે. આથી આવા પોલીસને લલકારવાના કૃત્યો કરતા ફરતા હોય છે. પોતાની દબંગાઈ અને વર્ચસ્વની મદિરામાં મસ્ત લોકોને કાયદો અને વ્યવસ્થાનો સ્વાદ ચખાડવામાં આવશે કે પિતા ભાજપમાં છે માટે કોઈ કાર્યવાહી નહીં થાય તે હવે જોવાનું રહેશે.  



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.