ચૂંટણી ટાણે જ ભાજપને ઝટકો, પૂર્વ સુરત શહેર ઉપપ્રમુખ PVS શર્માએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2022-11-08 20:49:04

વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે રાજકારણમાં પક્ષપલટાની મોસમ પૂરબહારમાં ખીલી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોએ એકબીજાના નેતાઓ અને કાર્યકરોને આવકારવા માટે લાલજાજમ બિછાવી છે. વિધાનસભાની ટિકિટ ન મળતા નારાજ નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. સુરતમાં ભાજપના અગ્રણી નેતા અને ભાજપના પૂર્વ શહેર ઉપપ્રમુખ PVS શર્માએ રાજીનામું આપતા ભાજપને જોરદાર ઝટકો લાગ્યો છે. પૂર્વ ઈન્કમટેક્સ અધિકારી PVS શર્માએ ભાજપમાંથી તમામ પદેથી રાજીનામુ આપી દીધું છે. નવેમ્બર 2020માં તેમના પર પડેલી ઈન્કમટેક્સની રેડ બાદ ફરિયાદ નોંધાતા ચર્ચામાં આવ્યા હતા. PVS શર્માના ઘરે ઈન્કમ ટેક્સના દરોડા પડ્યા ત્યારથી તેઓ પાર્ટીથી નારાજ હતા.


PVS શર્મા આમ આદમી પાર્ટીમાં જોડાશે?


પીવીએસ શર્મા ભાજપથી છેલ્લા દોઢ બે વર્ષથી અળગા રહેતા હતા. PVS શર્માએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે પોતાનું રાજીનામું  આપી દીધું છે. તેમના રાજીનામાથી શહેર ભાજપનું રાજકારણ ગરમાયું છે. PVS શર્મા સીઆર પાટીલના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા. તેઓ શહેર ભાજપના સંગઠનમાં અલગ અલગ હોદ્દા ઉપર રહી ચૂક્યા છે. PVS શર્મા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે. બે દિવસમાં જ તે આમ આદમી પાર્ટીની કંઠી પહેરીને ઉધના બેઠક ઉપરથી પોતાની ઉમેદવારી પણ નોંધાવી શકે છે. PVS શર્મા પરપ્રાંતિય સમુદાય પર સારૂ પ્રભુત્વ ધરાવે છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.