ચૂંટણી ટાણે જ ભાજપને ઝટકો, પૂર્વ સુરત શહેર ઉપપ્રમુખ PVS શર્માએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2022-11-08 20:49:04

વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે રાજકારણમાં પક્ષપલટાની મોસમ પૂરબહારમાં ખીલી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોએ એકબીજાના નેતાઓ અને કાર્યકરોને આવકારવા માટે લાલજાજમ બિછાવી છે. વિધાનસભાની ટિકિટ ન મળતા નારાજ નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. સુરતમાં ભાજપના અગ્રણી નેતા અને ભાજપના પૂર્વ શહેર ઉપપ્રમુખ PVS શર્માએ રાજીનામું આપતા ભાજપને જોરદાર ઝટકો લાગ્યો છે. પૂર્વ ઈન્કમટેક્સ અધિકારી PVS શર્માએ ભાજપમાંથી તમામ પદેથી રાજીનામુ આપી દીધું છે. નવેમ્બર 2020માં તેમના પર પડેલી ઈન્કમટેક્સની રેડ બાદ ફરિયાદ નોંધાતા ચર્ચામાં આવ્યા હતા. PVS શર્માના ઘરે ઈન્કમ ટેક્સના દરોડા પડ્યા ત્યારથી તેઓ પાર્ટીથી નારાજ હતા.


PVS શર્મા આમ આદમી પાર્ટીમાં જોડાશે?


પીવીએસ શર્મા ભાજપથી છેલ્લા દોઢ બે વર્ષથી અળગા રહેતા હતા. PVS શર્માએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે પોતાનું રાજીનામું  આપી દીધું છે. તેમના રાજીનામાથી શહેર ભાજપનું રાજકારણ ગરમાયું છે. PVS શર્મા સીઆર પાટીલના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા. તેઓ શહેર ભાજપના સંગઠનમાં અલગ અલગ હોદ્દા ઉપર રહી ચૂક્યા છે. PVS શર્મા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે. બે દિવસમાં જ તે આમ આદમી પાર્ટીની કંઠી પહેરીને ઉધના બેઠક ઉપરથી પોતાની ઉમેદવારી પણ નોંધાવી શકે છે. PVS શર્મા પરપ્રાંતિય સમુદાય પર સારૂ પ્રભુત્વ ધરાવે છે.




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!