Parliamentમાં BJP નેતા Narayan Raneના નિવેદનના કારણે મચ્યો હોબાળો! વીડિયો ટ્વિટ કરી AAPએ પૂછ્યા આ સવાલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-09 09:40:28

સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં સાંસદો દ્વારા જે નિવેદનો આપવામાં આવે છે તેને જોઈને લાગે કે શું સંસદમાં માન મર્યાદામાં રાખી  બોલાવાનું જાણે સાંસદો ભૂલી ગયા હોય. અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે સિરિયલને બદલે જો તમે સંસદનો કોઈ પણ વીડિયો જોઈ લેશો તો મનોરંજન પૂરૂ પડી જશે. આમ તો અમારે આવું ન કહેવું જોઈએ, પરંતુ સંસદમાં જે પ્રમાણે સાંસદો નિવેદનો આપે છે તેને જોઈને આવું કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય, 

સાંસદોના નિવેદનો સાંભળી લાગે કે આપણે સિરીયલ જોઈ રહ્યા છીએ! 

જે વીડિયો ઉપર મૂકવામાં આવ્યો છે તે વીડિયો કોઈ ફિલ્મનોનથી, એ કોઈ ટીવી સીરિયલનો વીડિયો નથી, ભાષા જોઈને તમને લાગ્યું હશે કે આ કોઈ વેબસિરિઝનો વીડિયો હશે, પરંતુ ના આ વીડિયો વેબસિરિઝનો પણ નથી. આ વીડિયો છે સંસદનો, એ સંસદ જેને લોકશાહીનું મંદિર કહેવામાં આવે છે ત્યાં આવા પ્રકારના નિવેદનો આપવા શોભા નથી દેતા. સંસદમાં કેન્દ્ર સરકારના મંત્રી નારાયણ રાણેએ એવું નિવેદન આપ્યું છે તેની નિંદા થઈ રહી છે. કેન્દ્રીયમંત્રી નારાયણ રાણેએ પોતાના નિવેદનમાં શિવસેના (યુબીટી) પર પ્રહાર કર્યા છે. પોતાના નિવેદનમાં તે ઓકાત બતાવવાની વાત કરી રહ્યા છે. 

ઉદ્ધવ ગ્રુપ પર નારાયણ રાણેએ આકરા પ્રહાર કર્યા

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ શિવસેનાના ઉદ્ધવ ગ્રુપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ઉદ્ધવ સેનાને તેની સ્થિતિ બતાવવા માટે પણ કહ્યું અને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કરવાનો ઉદ્ધવ ગૃપની શિવસેનાને કોઈ અધિકાર નથી. આ દરમિયાન સ્પીકરની ખુરશી પર બેઠેલા રાજેન્દ્ર અગ્રવાલે પણ નારાયણ રાણેને અટકાવ્યા અને તેમને અંગત ટિપ્પણીઓ ટાળવાની સલાહ આપી. 



આપનો સવાલ - શું ભાજપના નેતાને સસ્પેન્ડ કરાશે?

મહત્વનું છે કે પોતાના નિવેદનનોને કારણે, ટિપ્પણીને કારણે અનેક સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે આ વાતને લઈ આમ આદમી પાર્ટીએ સરકાર પર પ્રહાર કર્યા છે. ટ્વિટ કરી તેમણે લખ્યું કે શું ભાજપના મંત્રીને નફરતભર્યા ભાષણ માટે સસ્પેન્ડ કરવામાં આવશે? મોદીજીના મંત્રી નારાયણ રાણે સંસદમાં કોઈ ગલીના ગુંડાની જેમ ધમકી આપી રહ્યા છે. મોદી સરકરાને માત્ર પ્રશ્ન પૂછવા પર સાંસદને તરત સસ્પેન્ડ કરવામાં આવે છે. શું અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ બીજેપીના મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવશે? શિવસેના પર હુમલો હકીકતમાં, કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન શિવસેના પર હુમલો કર્યો હતો. 



સંસદને સાંસદો એક બીજા સાથે ઝઘડવાનું મંચ માને છે!   

એક સમય હતો એ સંસદનો જ્યારે તેમાં જવાહર લાલ નેહરુ અને અટલ બિહારી બાજપેયી જેવા લોકોના ભાષણો ચાલતા હતા જેણે દેશના આ લોકતંત્રની ઈજ્જત કરી અને દેશના લોકતંત્રની સ્થિતિ જાળવી રાખી, પણ અત્યારની સ્થિતિ એવી છે કે જેવું તમે સંસદ ટીવી શરૂ કરો અથવા સંસદ ટીવી ડિજિટલ મીડિયા પર જુઓ તો નેતાઓ કૂતરા બિલાડાની જેમ ઝઘડી રહ્યા છે. અરે ભાઈ તમારે ઝઘડવું જ હોય અને તમને મજા જ આવતી હોય તો સંસદ બહાર ઝઘડોને... તમારી રાજનીતિથી પવિત્ર લોકતંત્રના સદનને દુષિત ન કરો. સંસદમાં બગડતી ભાષા અંગે તમારૂં શું કહેવું છે?



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!