જન્માષ્ટમીના દિવસે જન્મ થયો છે તેવા અરવિંદ કેજરીવાલના નિવેદન પર ભાજપના નેતાનો પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 11:30:39

વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પોતાનો પ્રચાર કરવા પોલિટિક્લ પાર્ટી એડીચોટીનું જોર લગાવતા હોય છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલના નિવેદન પર ફરી એક વખત રાજનીતિ ગરમાઈ છે. કેજરીવાલે કહ્યું કે તેમનો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો છે. તેમના આ નિવેદન પર ભાજપના નેતા હરીશ ખુરાનાએ ટ્વિટ કરતા કહ્યું કે 16 ઓગસ્ટ 1968ના રોજ જન્માષ્ટમી હતી જ નહીં. 

ભાજપના નેતાએ અરવિંદ કેજરીવાલ પર કર્યા પ્રહાર 

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા અનેક વિવાદિત નિવેદનો સામે આવતા હોય છે. અથવા તો નિવેદનો પર વિવાદ છેડાઈ જતો હોય છે. ત્યારે આપનો પ્રચાર કરવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેજરીવાલના પ્રવાસને લઈને હંગામો થયો હતો. પોસ્ટર લગાવી તેમને હિંદુ વિરોધી દર્શાવવામાં આવ્યા હતા. ત્યારે પોતાનો પક્ષ મુકતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો. ત્યારે તેમની જન્મ તિથીને લઈ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે.

કેજરીવાલના નિવેદનને ખોટું પાડવા કર્યો પ્રયાસ   

હરીશ ખુરાનાએ ટ્વિટ કરતા જણાવ્યું કે શું તેમે ગુજરાતની જનતાને મુર્ખ માનો છો? તમારો જન્મ 16 ઓગસ્ટ 1968ના રોજ થયો હતો અને તે વર્ષે જન્માષ્ટમી 15 ઓગસ્ટના રોજ હતી. મત માટે પોતાને કૃષ્ણભક્ત તરીકે બતાવવા માટે કાંઈપણ!!  




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.