છેલ્લા 30 વર્ષોથી ભાજપમાં સક્રિય આદિવાસી નેતા જશુ રાઠવાના રાજીનામાથી રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2023-04-11 14:14:03

ભાજપમાં પણ હવે આંતરિક ખટરાગ વધતો જોવા મળી રહ્યો છે. ભાજપના છોટા ઉદેપુર જીલ્લા ભાજપના નેતા અને અગ્રણી આદિવાસી નેતા જશુ રાઠવાએ તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું છે. રાજીનામાંના પત્રમાં જણાવ્યું કે, આપના આદેશ અનુસાર હું ભારતીય જનતા પાર્ટીના નીચે જણાવ્યા મુજબની તમામ જવાબદારીઓ પરથી રાજીનામું આપું છું.


આ તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું


છોટા ઉદ્દેપુરમાં ભાજપના તમામ હોદ્દા પરથી જશુ રાઠવાના રાજીનામા બાદ ખળભળાટ મચી ગયો છે. પક્ષની સૂચનાથી રાજીનામું આપ્યા હોવાનું જશુ રાઠવાનું રટણ છે. જશુ રાઠવાએ પત્ર લખીને પ્રદેશ આમંત્રિત સભ્ય પ્રદેશ, ઉપ પ્રમુખ અ.જ.જા. મોરચો ભાજપ પ્રદેશ, સભ્ય ન્યુ ગુજરાત પેટર્ન આયોજન સમિતિ છોટાઉદેપુર,સક્રિય સભ્ય એમ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે.


પક્ષના વફાદારના રાજીનામાથી હડકંપ


જશુ રાઠવા છેલ્લા 30 વર્ષોથી ભાજપમાં સક્રિય ભૂમિકામાં રહ્યા છે. જશુભાઈ રાઠવાએ પક્ષની સૂચનાથી રાજીનામું આપ્યા હોવાનું જણાવ્યું હતું. અગાઉ એક વર્ષ પૂર્વે પણ આવી સૂચના આવતા રાજીનામું આપ્યું હતું. તેમને ગત 1 લી એપ્રિલે જ અ.જ.જા. મોરચાના ઉપ પ્રમુખ બનાયા હતા. આ ઉપરાંત પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ પણ રહી ચૂક્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.