છેલ્લા 30 વર્ષોથી ભાજપમાં સક્રિય આદિવાસી નેતા જશુ રાઠવાના રાજીનામાથી રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2023-04-11 14:14:03

ભાજપમાં પણ હવે આંતરિક ખટરાગ વધતો જોવા મળી રહ્યો છે. ભાજપના છોટા ઉદેપુર જીલ્લા ભાજપના નેતા અને અગ્રણી આદિવાસી નેતા જશુ રાઠવાએ તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું છે. રાજીનામાંના પત્રમાં જણાવ્યું કે, આપના આદેશ અનુસાર હું ભારતીય જનતા પાર્ટીના નીચે જણાવ્યા મુજબની તમામ જવાબદારીઓ પરથી રાજીનામું આપું છું.


આ તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું


છોટા ઉદ્દેપુરમાં ભાજપના તમામ હોદ્દા પરથી જશુ રાઠવાના રાજીનામા બાદ ખળભળાટ મચી ગયો છે. પક્ષની સૂચનાથી રાજીનામું આપ્યા હોવાનું જશુ રાઠવાનું રટણ છે. જશુ રાઠવાએ પત્ર લખીને પ્રદેશ આમંત્રિત સભ્ય પ્રદેશ, ઉપ પ્રમુખ અ.જ.જા. મોરચો ભાજપ પ્રદેશ, સભ્ય ન્યુ ગુજરાત પેટર્ન આયોજન સમિતિ છોટાઉદેપુર,સક્રિય સભ્ય એમ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે.


પક્ષના વફાદારના રાજીનામાથી હડકંપ


જશુ રાઠવા છેલ્લા 30 વર્ષોથી ભાજપમાં સક્રિય ભૂમિકામાં રહ્યા છે. જશુભાઈ રાઠવાએ પક્ષની સૂચનાથી રાજીનામું આપ્યા હોવાનું જણાવ્યું હતું. અગાઉ એક વર્ષ પૂર્વે પણ આવી સૂચના આવતા રાજીનામું આપ્યું હતું. તેમને ગત 1 લી એપ્રિલે જ અ.જ.જા. મોરચાના ઉપ પ્રમુખ બનાયા હતા. આ ઉપરાંત પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ પણ રહી ચૂક્યા છે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.