ગુજરાતની 26 લોકસભા સીટો જીતવા ભાજપે ઘડી રણનીતિ! લોકો સુધી પહોંચવા ભાજપ ચલાવશે મહાજનસંપર્ક અભિયાન! પ્રભારીઓની કરાઈ નિમણૂંક!


  • Published By :
  • Published Date : 2023-05-17 10:53:44

આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આપણે ભલે એવું માનતા હોઈએ કે લોકસભાની ચૂંટણીને એક વર્ષનો સમય બાકી છે પરંતુ રાજકીય પાર્ટીઓ આ સમયને ઓછો ગણતા હોય છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તેવું લાગી રહ્યું છે. આંતરિક સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના 33 જિલ્લાઓ અને 8 મહાનગર પાલિકાઓમાં પ્રભારીઓની નિમણૂંક કરી છે. ઉલ્લેખનિય છે કે ચૂંટણીને લઈ નેતાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવતી હોય છે.

મહાસંપર્ક અભિયાનની ભાજપ કરશે શરૂઆત!

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થાય તે માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો પર કમળ ખીલે તે માટે રણનીતિ ઘડવામાં આવી રહી છે. સંગઠનમાં અનેક ફેરફાર કરી સંગઠનને મજબૂત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વધારે ધ્યાન આપવામાં આવશે. આ મામલે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી જેમાં જણાવામાં આવ્યું હતું કે ભાજપની મૂળશક્તિ લોકસંપર્કમાં છે, તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ સતત લોકોની વચ્ચે રહે છે અને ચૂંટણી આવે એટલે ફરી જનતા સમક્ષ જાય છે. 30મેથી મહાસંપર્ક અભિયાન ભાજપ દ્વારા શરૂ કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી.


41 પ્રભારીઓની કરાઈ નિમણૂંક!

26 બેઠકો પર જીત હાંસલ કરવા ભાજપે પોતાના સંગઠનમાં ફેરફાર કર્યા છે. ચૂંટણી પહેલા રાજ્યના 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકાઓમાં પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપે 41 પ્રભારીઓની નિમણૂંક કરી છે. ગાંધીનગર શહેર ભાજપના પ્રભારી તરીકે નૌકાબેન પ્રજાપતિની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે જિલ્લાના પ્રભારી તરીકે અશોક ચૌધરીની નિમણૂંક કરવામાં આવી છે.  સુરત શહેરની જવાબદારી શિતલબેન સોનીને સોંપવામાં આવી છે જ્યારે ભાવનગર શહેરની જવાબદારી ચંદ્રશેખર દવેને સોંપવામાં આવી છે. અમદાવાદમાં ઝવેરીભાઈ ઠકરારની નિમણૂંક કરવામાં આવી છે. મહત્વનું છે કે ભાજપ લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં કોઈ કચાસ રાખવા નથી માગતી.       



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.