ગુજરાતની 26 લોકસભા સીટો જીતવા ભાજપે ઘડી રણનીતિ! લોકો સુધી પહોંચવા ભાજપ ચલાવશે મહાજનસંપર્ક અભિયાન! પ્રભારીઓની કરાઈ નિમણૂંક!


  • Published By :
  • Published Date : 2023-05-17 10:53:44

આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આપણે ભલે એવું માનતા હોઈએ કે લોકસભાની ચૂંટણીને એક વર્ષનો સમય બાકી છે પરંતુ રાજકીય પાર્ટીઓ આ સમયને ઓછો ગણતા હોય છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તેવું લાગી રહ્યું છે. આંતરિક સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના 33 જિલ્લાઓ અને 8 મહાનગર પાલિકાઓમાં પ્રભારીઓની નિમણૂંક કરી છે. ઉલ્લેખનિય છે કે ચૂંટણીને લઈ નેતાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવતી હોય છે.

મહાસંપર્ક અભિયાનની ભાજપ કરશે શરૂઆત!

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થાય તે માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો પર કમળ ખીલે તે માટે રણનીતિ ઘડવામાં આવી રહી છે. સંગઠનમાં અનેક ફેરફાર કરી સંગઠનને મજબૂત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વધારે ધ્યાન આપવામાં આવશે. આ મામલે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી જેમાં જણાવામાં આવ્યું હતું કે ભાજપની મૂળશક્તિ લોકસંપર્કમાં છે, તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ સતત લોકોની વચ્ચે રહે છે અને ચૂંટણી આવે એટલે ફરી જનતા સમક્ષ જાય છે. 30મેથી મહાસંપર્ક અભિયાન ભાજપ દ્વારા શરૂ કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી.


41 પ્રભારીઓની કરાઈ નિમણૂંક!

26 બેઠકો પર જીત હાંસલ કરવા ભાજપે પોતાના સંગઠનમાં ફેરફાર કર્યા છે. ચૂંટણી પહેલા રાજ્યના 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકાઓમાં પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપે 41 પ્રભારીઓની નિમણૂંક કરી છે. ગાંધીનગર શહેર ભાજપના પ્રભારી તરીકે નૌકાબેન પ્રજાપતિની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે જિલ્લાના પ્રભારી તરીકે અશોક ચૌધરીની નિમણૂંક કરવામાં આવી છે.  સુરત શહેરની જવાબદારી શિતલબેન સોનીને સોંપવામાં આવી છે જ્યારે ભાવનગર શહેરની જવાબદારી ચંદ્રશેખર દવેને સોંપવામાં આવી છે. અમદાવાદમાં ઝવેરીભાઈ ઠકરારની નિમણૂંક કરવામાં આવી છે. મહત્વનું છે કે ભાજપ લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં કોઈ કચાસ રાખવા નથી માગતી.       



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!