Loksabha Electionને લઈ BJPએ આ આઠ નેતાઓને સોંપી જવાબદારી, જાણો કયા નેતાને ક્યાંની જવાબદારી સોંપાઈ?


  • Published By :
  • Published Date : 2024-01-03 11:48:02

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં જીત હાંસલ થાય તે માટે પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી માટે ગુજરાત ભાજપે આઠ દિગ્ગજ નેતાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે જેમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમિત ઠાકર, બાબુભાઈ જેબલીયા સહિતના નેતાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી આપવામાં આવી છે. લોકસભામાં ગુજરાતની તમામ તમામે બેઠકો પર ભાજપનો કબજો થાય તે માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 

Bharatiya Janata Party (BJP) | History, Ideology, & Beliefs | Britannica

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ એક્ટિવ મોડમાં 

સી.આર.પાટીલે અનેક વખત પોતાના નિવેદનોમાં ભાજપ 26માંથી 26 બેઠકો જીતે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. ભાજપને લોકસભામાં સારા લીડથી જીત મળે તેવો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. થોડા મહિનાઓ બાદ ગમે ત્યારે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત ભાજપ એક્ટિવ મોડમાં આવી ગયું છે. અલગ અલગ જિલ્લાઓની જવાબદારી પાર્ટીના દિગ્ગજ નેતાઓને સોંપવામાં આવી છે. 

Image

કોને ક્યાંની સોંપવામાં આવી જવાબદારી? 

પ્રદિપસિંહ જાડેજાને વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. બનાસકાંઠા, કચ્છ, પાટણ જિલ્લાની જવાબદારી અમિત ઠાકરને સોંપવામાં આવી છે. બાબુભાઈ જેબલીયાને મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર તો કે.સી.પટેલને ગાંધીનગર તેમજ અમદાવાદની જવાબદારી સોંપવામાં આવી છે. તે ઉપરાંત નરહરીભાઈ અમીનને આણંદ, ખેડા, પંચમહાલ,દાહોદની જવાબદારી સોંપાઈ છે. સુરત, નવસારી,બારડોલી તેમજ વલસાડની જવાબદારી જ્યોતિબેન પંડ્યાને સોંપવામાં આવી છે. ભૂપેન્દ્ર ચુડાસમાને જૂનાગઢ,અમરેલી, ભાવનગર તો આર.સી.ફળદુને જામનગર, પોરબંદર, રાજકોટની જવાબદારી સોંપવામાં આવી હતી.               



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.