Breaking News : રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવારોના નામ, જાણો કોની કરાઈ પસંદગી?


  • Published By :
  • Published Date : 2023-07-12 16:17:29

રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડવાની ના પાડી છે ત્યારે આજે ભાજપે બે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપ દ્વારા બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ તેમજ કેસરીદેવસિંહ ઝાલાની પસંદગી કરવામાં આવી છે.  મહત્વનું છે કે થોડા સમય પહેલા વિદેશમંત્રી એસ.જયશંકરે પોતાની દાવેદારી નોંધાવી છે. 

Image

આ નામો પર લાગી મોહર!

ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. થોડા સમય પહેલા વિદેશમંત્રી એસ.જયશંકરના નામની જાહેરાત કરવામાં આવી હતી તેમણે ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે. ત્યારે આજે ભાજપ દ્વારા વધુ બે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રબારી સમાજથી આવતા બનાસકાંઠાના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈની પસંદગી કરવામાં આવી છે, જ્યારે વાંકાનેરના રાજવી પરિવારના કસેરીસિંહ ઝાલાના નામ પર મોહર લાગી છે. 24 જુલાઈના રોજ ચૂંટણી યોજાવાની છે. 



કોંગ્રેસ અને AAP ઉમેદવારો નહીં ઉતારે

ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે. જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. આ દરમિયાન હવે ભાજપના ડો. એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જોકે આ ત્રણેય બેઠકો પર ભાજપના જ ઉમેદવારો જીતશે. ભાજપ પાસે વિધાનસભામાં સંખ્યાબળ વધુ છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ ન હોવાથી એક પણ ઉમેદવાર મેદાને નહીં ઉતારે. કોંગ્રેસ પાસે વિધાનસભામાં ફક્ત 17 ધારાસભ્યો છે.  


રાજ્ય સભાની ચૂંટણી ક્યારે યોજાશે?

કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ગોવાની 1, ગુજરાતની 3 અને પશ્ચિમ બંગાળની 6 બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી માટે 6 જુલાઈએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 14 જુલાઈએ ઉમેદવાર પત્રની ચકાસણી કરવામાં આવશે. 17 જુલાઈએ ઉમદવારી પત્ર ખેચવાની છેલ્લી તારીખ હશે. 24 જુલાઈએ સવારે 9 થી 4 મતદાન થશે અને સાંજે 5 વાગ્યે મતગણતરી કરવામાં આવશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.