પક્ષપલટો કરનાર નેતાઓ પર ભાજપે ભરોસો રાખી જાહેર કર્યા છે ઉમેદવાર, આ વાત પર કોંગ્રેસે કર્યો કટાક્ષ


  • Published By :
  • Published Date : 2022-11-11 12:55:37

ચૂંટણીની જાહેરાત થયા બાદ કોંગ્રેસના અનેક નેતાઓએ પક્ષપલટો કરી લીધો છે. અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે અને ભાજપે તેમને ટિકિટ આપી સંતુષ્ટ પણ કર્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલ નેતાઓ પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. કોંગ્રેસે કટાક્ષમાં લખ્યું કે જે પક્ષ એમના જ પક્ષના લોકોનો ના થયોએ પક્ષપલટુંઓનો શું થવાનો? માટે જ આ વખતે ભાજપને હરાવી તમામ પક્ષપલટું નેતાઓ અને ભાજપના ખરીદ વેચાણ સંઘને બંધ કરાવીએ, આવો કોંગ્રેસની સરકાર બનાવીએ.

 

ભાજપ અને પક્ષપલટા કરનાર નેતા પર કોંગ્રેસનો કટાક્ષ 

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારથી નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. જે પાર્ટીમાં અનેક વર્ષો સુધી કામ કર્યું હોય તે નેતાને પાર્ટી બદલ્યા બાદ પોતાનો પક્ષ ખરાબ લાગવા લાગે છે. ચૂંટણી પહેલા પક્ષપલટાની સિઝન ચાલતી હોય એવું લાગી રહ્યું છે. કોંગ્રેસમાંથી અનેક નેતાઓ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાંથી ગયેલા અનેક નેતાઓને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. આ વાતને લઈ કોંગ્રેસે પક્ષપલટો કરનાર નેતાઓ પર અને ભાજપ પર કટાક્ષ કર્યો છે. 

ભાજપમાં જોડાયા લોકો જનતાનું શું ભલું કરવાના - કોંગ્રેસ

ટ્વિટ કરી કોંગ્રેસે લખ્યું કે જે પક્ષ એમના જ પક્ષના લોકોનો ના થયોએ પક્ષપલટુંઓનો શું થવાનો? અને જે લોકો જનતાને દગો આપીને ભાજપમાં જોડાયા એવા લોકો જનતાનું શું ભલું કરવાના? માટે જ આ વખતે ભાજપને હરાવી તમામ પક્ષપલટું નેતાઓ અને ભાજપના ખરીદ વેચાણ સંઘને બંધ કરાવીએ, આવો કોંગ્રેસની સરકાર બનાવીએ. ભાજપે 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જેમાં અનેક પક્ષપલટું નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. 


પક્ષપલટો કરનારને ભાજપે આપી છે ટિકિટ

ભાજપે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓમાંથી 13 પક્ષપલટો કરનારને ઉમેદવાર ઘોષિત કર્યા છે.જેમાં હાર્દિક પટેલ, કુવરજી બાવળીયા, રાઘવજી પટેલ, હર્ષદ રિબડીયા, ભગા બારડ, પૂર્ણેશ મોદી સહિત અનેક પક્ષપલટું કરનાર નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે આ વાતને ભાજપ પર કટાક્ષ કરતા મતદારોને જાગૃત કરવાની કોશિષ કરી છે.     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.