રાજ્યમાં ભાજપની સરકાર તો બની પણ વિધાનસભામાં મુખ્ય વિપક્ષ કોણ બનશે, શું છે બંધારણીય જોગવાઈ?


  • Published By :
  • Published Date : 2022-12-12 18:17:58

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં ભાજપની ઐતિહાસિક જીત થઈ છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આજે 16 મંત્રીઓએ શપથ લીધા છે. જો કે હવે ખરો સવાલ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા કોણ બનશે? કોંગ્રેસ કે આપમાંથી કઈ પાર્ટી બનશે મુખ્ય વિપક્ષ?


મુખ્ય વિપક્ષ બનવા માટે શું છે જોગવાઈ?


રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક અને કોંગ્રેસે 17 બેઠક મેળવતા કોંગ્રેસને વિરોધ પક્ષના નેતાની માન્યતા મળશે કે કેમ તે પ્રશ્ન સર્જાયો છે. અગાઉ વિધાન સભાના અધ્યક્ષોએ કુલ બેઠકના 10% ધારાસભ્યો હોવાનું ઠરાવ્યું છે અને તેથી કોંગ્રેસને 18 કે 19 ધારાસભ્યો હોય તો વિપક્ષનું નેતાપદ મળે પરંતુ તેમાં શાસક પક્ષની ઉદારતા કેટલી છે તે પણ એક સવાલ છે. હવે કોંગ્રેસને મુખ્ય વિપક્ષ બનવા માટે ભાજપ પર નિર્ભર રહેવું પડશે. રાજ્યની ભાજપ સરકારે અત્યાર સુધીમાં પરંપરા મુજબ વિધાનસભામાં નાયબ અધ્યક્ષપદ પણ વિપક્ષને આપવું જોઇએ પરંતુ છેલ્લી કેટલીક ટર્મથી તે પણ અપાયું નથી અને તેના બદલે અધ્યક્ષની પેનલ રચાય છે અને તેમને અધ્યક્ષની ગેરહાજરીમાં કોઇ એક વ્યક્તિને અધ્યક્ષપદે બેસાડાય છે.


મુખ્ય વિપક્ષના નેતાઓને મળતા લાભ


વિપક્ષનું નેતાપદ જેને મળે તે કેબીનેટ મંત્રી સમકક્ષ હોદો ધરાવે છે તેને કેબીનેટ મંત્રીની જે સુવિધા મળે તે તમામ મળે છે. વિધાનસભામાં અનેક મહત્વની સમિતિઓમાં પણ વિપક્ષને મહત્વના સ્થાન મળે છે. જેમ કે જાહેર હિસાબની સમિતિ કે જે સૌથી મહત્વની ગણાય છે તેમાં પણ વિપક્ષના નેતા અધ્યક્ષપદે હોય છે. ગુજરાત વિધાનસભા (વિરોધ પક્ષના નેતા) વેતન અને ભથ્થા કાયદો,1979 એવું કહે છે કે, સત્તાપક્ષ સિવાયના પક્ષમાં સૌથી વધુ ધારાસભ્યોની સંખ્યા ધરાવતા પક્ષને વિરોધ પક્ષની માન્યતા પણ મળે છે અને તેના નેતાને નિયમ મુજબ તમામ સુવિધા પણ આપવી પડે છે. વિરોધ પક્ષના નેતાને ગાડી, બંગલો, વિધાનસભામાં ઓફિસ અને 19 વ્યકિતનો સ્ટાફ મળે છે.


ભૂતકાળનો અનુભવ શું કહે છે?


વર્ષ 1985માં પણ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી જેવી જ સ્થિતી સર્જાઈ હતી. કોંગ્રેસે 1985માં સ્વ.માધવસિંહ સોલંકીના મુખ્યમંત્રીના નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણીમાં 149 બેઠક પર વિજય મેળવ્યો હતો. સામે જનતા દળને 14, ભાજપને 11 અને અપક્ષને 8 બેઠક મળી હતી. આ વખતે સૌથી વધુ ધારાસભ્ય ધરાવતી પાર્ટી તરીકે જનતા દળને વિરોધ પક્ષની માન્યતા મળી હતી. 14 ધારાસભ્યો ધરાવતા જનતા દળને મુખ્ય વિપક્ષ તરીકે સ્વીકારવામાં આવ્યો અને સ્વ. ચીમન પટેલને વિપક્ષના નેતાનું પદ મળ્યું હતું. જો કે મુખ્ય વિપક્ષ માટે વિધાનસભામાં કોઇ નિયમ કે કાયદો નથી. આ વખતે કોંગ્રેસના બે અગ્રણી નેતાઓ પોરબંદર ચૂંટાયેલા અર્જુનભાઇ મોઢવાડીયા અને આંકલાવથી ચૂંટાયેલા અમિત ચાવડાનું નામ વિપક્ષના નેતા તરીકે ચર્ચાઈ રહ્યું છે પરંતુ તેમને વિરોધ પક્ષના નેતા બનાવવા કે કેમ તેનો નિર્ણય શાસક ભાજપ પર નિર્ભર રહે છે. એટલે આખરી નિર્ણય તો ભાજપના નેતાઓ જ લેશે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.