રાજ્યની ભાજપ સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિરનો આજથી આરંભ, CM, મંત્રીઓ, અધિકારીઓ સહિત 230 લોકો ભાગ લેશે


  • Published By :
  • Published Date : 2023-05-19 12:57:41

આગામી લોકસભાની ચૂંટણીને લઈ રાજ્ય સરકારે કમર કસી લીધી છે. આજથી સરકારની ત્રણ દિવસની દિવસીય ચિંતન શિબિરનો આરંભ નર્મદા જિલ્લામાં આવેલા કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદારના સાંનિધ્યમાં થયો છે. આ ત્રિદિવસીય ચિંતન શિબિરમાં ગાંધીનગરથી મંત્રીઓ અને અધિકારીઓ ચિંતન શિબિર માટે બસમાં રવાના થયા છે. મુખ્યમંત્રી, મંત્રીઓ, અધિકારીઓ સહિત 230 સભ્યો ચિંતન શિબિરમાં ભાગ લેશે.


આજે હસમુખ અઢિયાનું સ્ટ્રેસ મેનેજમેન્ટ પર વક્તવ્ય 


કેવડિયા કોલોની ખાતે આજથી શરૂ થયેલી શિબિરનો પ્રારંભ સાંજે 4 વાગ્યાથી થશે. શિબિરની શરૂઆત મુખ્ય સચિવના પ્રાસંગિક ઉદબોધનથી થશે. આ સાથે જ નાણાંમંત્રી અને મુખ્યમંત્રી કરશે ઉદ્ઘાટન સંબોધન. જ્યારે સાંજે 5 વાગે ડો. હસમુખ અઢિયા સ્ટ્રેસ મેનેજમેન્ટ પર વક્તવ્ય આપશે. સાંજે 6 :30 વાગે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ થી આવેલા પરિવર્તન અને પડકાર પર ચર્ચા થશે. રાત્રે 8 કલાકે રાત્રી ભોજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.


20 મેના રોજ વહીવટી સુધારા પર ચિંતન


20 મે એ સવારે 6 વાગે યોગથી બીજા દિવસની શરૂઆત થશે. મંત્રીઓ તથા અધિકારિઓ બોટીંગ રિવરફ્ટિંગ, જંગલ સફારી તથા સાયક્લીગ કરશે. ત્યારે 10 વાગે વિકાસના મુદ્દા પર ડો. અમરજીત સિન્હા સંબોધન કરશે. આ ઉપરાંત સવારે 11 થી 5 વાગ્યા સુધી મુખ્ય 5 મુદ્દાઓ પર ચર્ચા થશે જેમાં આરોગ્ય પોષણ, શહેરીકરણ અને માળખાગત વિકાસ, સરકારી કર્મચારીઓ માટે તાલિમ અને ક્ષમતા નિર્માણ, ગ્રામ્ય વિસ્તારોમાં અને ક્ષમતા નિર્માણ તથા શિક્ષણમાં ગુણાત્મક સુધારો પર ચર્ચા થશે. સાંજે 6 વાગે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત અને ગ્રૂપ ફોટો થશે. સાંજે 7:30 વાગે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. રાત્રે 8:15 કલાકે નર્મદા આરતી માં ભાગ લેશે


21 મેના દિવસે મુખ્યમંત્રી કરશે સમાપન સંબોધન


21 મે એ સવારે 6 વાગે યોગથી ચિંતન શિબિરના ત્રીજા દિવસની શરૂઆત થશે. ત્યારે બાદ 10 થી 12:30 સુધી 5 મુદ્દાઓ ની ચર્ચા બાદની ભલામણ પર પ્રેઝન્ટેશન થશે. બપોરે 12:30 થી 1 કેન્દ્ર અને રાજ્ય સરકારના જિલ્લા સુશાસન સુચકાંકનું લોકાર્પણ થશે. બપોરે 1 વાગે મુખ્યમંત્રી કરશે સમાપન સંબોધન અને 2 વાગે શિબિર પૂર્ણ થશે.


નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી ચિંતન શિબિરની પરંપરા


અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપમાં  ચિંતન શિબિરનો તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ચિંતન શિબિરની શરૂઆત કરી હતી. તેમના કાર્યકાળ દરમિયાન 7 ચિંતન શિબિર યોજાઈ હતી. જ્યારે આનંદીબેન પટેલના કાર્યકાળમાં અને વિજય રૂપાણી ના કાર્યકાળમાં 1-1 ચિંતન શિબિર યોજાઈ હતી. ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારની આ પહેલી ચિંતન શિબિર છે. જે 5 વર્ષ બાદ યોજાઈ રહી છે. સરકારના તમામ વિભાગો વચ્ચે સંકલન અને સમન્વય વધે તે હેતુ સાથે આ શિબિરનું આયોજન થતું હોય છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!