BJP: Gujarat રાજ્યસભાના ઉમેદવાર તરીકે જે.પી.નડ્ડા સહિત ચારેય ઉમેદવારે નોંધાવી ઉમેદવારી, કહ્યું ગુજરાત સાથે જોડાવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-15 14:02:24

ભાજપ દ્વારા ગઈકાલે રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભાજપે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા તેમજ જશવંતસિંહ પરમારના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ભાજપના ચારેય રાજ્યસભાના ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી છે. વિજય મુહુર્તમાં ચારેય ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.  ગુજરાતના ચાર રાજ્યસભા સાંસદનો કાર્યકાળ પૂર્ણ થવાનો છે. મહત્વનું છે કે ભાજપ દ્વારા નવા ચહેરાની પસંદગી કરવામાં આવી છે. પરશોત્તમ રૂપાલા તેમજ મનસુખ માંડવિયાના પત્તા રાજ્યસભા માટે કપાયા છે. ભાજપની આવી જાહેરાત બાદ એવું લાગી રહ્યું છે કે પરશોત્તમ રૂપાલાને તેમજ મનસુખ માંડવિયાને લોકસભા ચૂંટણી માટે ઉતારવામાં આવે. 27 ફેબ્રુઆરીએ રાજ્યસભા માટે ચૂંટણી યોજાવાની છે.       

સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રીએ કર્યું જે.પી.નડ્ડાનું સ્વાગત 

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવા આજે તે ગુજરાત આવ્યા હતા. એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અધ્યક્ષને આવકારવા માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર હતા. તે ઉપરાંત મોટી સંખ્યામાં સમર્થકો પણ હાજર હતા. રેલી સ્વરૂપે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉમેદવારી નોંધાવવા ગયા હતા. રાજ્યસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ એકમાત્ર શક્તિસિંહ ગોહિલ કરી રહ્યા છે. તેમનો કાર્યકાળ પણ વર્ષ 2026માં પૂર્ણ થવાનો છે.


જે.પી.નડ્ડાએ માન્યો પીએમ મોદીનો આભાર

 જે.પી.નડ્ડાએ લોકોને સંબોધતા કહ્યું કે ગુજરાત સાથે જોડાવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગુજરાતથી રાજ્યસભામાં જવું તે સૌભાગ્યની વાત છે. મને ગુજરાતથી ઉમેદવારી કરવાનો મોકો આપવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માનું છું. મહત્વનું છે કે એવું માનવામાં આવતું હતું કે રાજ્યસભા માટે એવા નામોની જાહેરાત કરવામાં આવશે જેની કલ્પના પણ નહીં કરી હોય.    


સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.