કોંગ્રેસ યુક્ત ભાજપ: ગુજરાતમાં ભાજપ સત્તા કાજે ક્યાં સુધી 'કોંગ્રેસ' પર નિર્ભર રહેશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 14:11:50

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ની તૈયારી જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓના રાજ્યમાં આટાફેરા વધી ગયા છે. રાજ્યમાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ચૂંટણી જંગ જોવા મળતો હતો. જો કે આ વખતે રાજકીય સમીકરણો બદલી ગયા છે. ભાજપ માટે ચૂંટણી લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ બન્યું છે.  અત્યાર સુધી ભાજપ વિધાનસભામાં તેની બહુમતી ટકાવી રાખવા માટે સામ, દામ, દંડ, ભંદની નીતિ અપનાવી કોંગ્રેસના ધારાસભ્યોને તોડતી રહી છે. હર્ષદ રિબડીયા તેનું તાજુ ઉદાહરણ છે. હવે સવાલ એ થાય છે કે ભાજપ ક્યા સુધી કોંગ્રેસના આયાતી ધારાસભ્યો પર આધાર રાખશે. ભાજપમાં સી આર પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવ્યા ત્યારથી આંતરિક કલહ વધી ગયો છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની કેબિનેટના પ્રધાનો ચૂંટણી પ્રચારથી સંપુર્ણપણે અળગા થઈ ગયા છે. રૂપાણી પણ કોઈ સભા કે પ્રચાર રેલીમાં જોવા મળતા નથી. આમ સમગ્ર દ્રષ્ટીએ જોતા આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે.


રૂપાણી કેબિનેટના મંત્રીઓનું ઉદાસીન વલણ


ભાજપે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તમામ કેબિનેટ મંત્રીઓને રાજીનામું આપવાની ફરજ પાડી હતી. હવે રસપ્રદ બાબત એ છે કે રૂપાણી કેબિનેટના ઘણા મંત્રીઓના પત્તા કપાઈ શકે તેમ છે. આ ચૂંટણીમાં ભાજપ નો રિપિટ થિયરીના નામે કોઈ પૂર્વ મંત્રીઓને ટિકિટ આપશે નહીં અને  આ બાબતથી વાકેફ કોઈ પૂર્વમંત્રી આ વખતની ચૂંટણીમાં અંગત રસ લઈ રહ્યો નથી.  નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, આર.સી. ફળદુ, ગણપત વસાવા, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, કૌશિક પટેલ સહિતના ટોચના સ્થાનિક નેતાઓમાં ચૂંટણી પ્રચારને લઈ ઉદાસીન વલણ, સ્પષ્ટ જોવા મળી શકે છે.


કોંગ્રેસના ધારાસભ્યો ભાજપનો આધાર


રાજ્યમાં ભાજપ છેલ્લા 27 વર્ષથી શાસનમાં ભલે હોય પણ તેનો વોટ શેર સતત ઘટી રહ્યો છે, ગઈ કાલે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય હર્ષદ રિબડીયા ભાજપમાં જોડાયા છે. વર્તમાન ભાજપ ખરેખર તો કોંગ્રેસયુક્ત ભાજપ છે. કારણ કે હાલના મોટાભાગના મંત્રીઓ અને ધારાસભ્યોનું મુળ ગોત્ર તો કોંગ્રેસી છે. હવે સવાલ એ થાય છે કે ભાજપ ક્યાં સુધી આયાતી ઉમેદવારો પર આધારીત રહેશે. ભાજપના આ વલણથી સ્થાનિક કાર્યકરમાં ભારોભાર અસંતોષ જોવા મળી રહ્યો છે.  


આમ આદમી પાર્ટી કોના મત તોડશે?


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્ય લડાઈ છે. હવે જોવાનું એ છે કે આપ ના પ્રવેશથી રાજ્યમાં કઈ પાર્ટીને નુકસાન થશે. કોંગ્રેસ અને ભાજપ કમિટેડ વોટ બેંક ધરાવે છે. ઉચ્ચ મધ્યમ વર્ગ ભાજપની કોર વોંટ બેંક છે. તો કોંગ્રેસના વફાદાર મતદારો મુસ્લિમો, આદીવાસીઓ અને દલિતો છે. હવે આમ આદમી પાર્ટી કઈ પાર્ટીના મતદારો તોડશે તે જોવાની છે. રાજકીય પંડિતોના મતે આમ આદમી પાર્ટીએ જે રીતે મધ્યમ વર્ગને આકર્ષવા આકર્ષક ગરન્ટી યોજનાની જાહેરાત કરી છે તે જોતા શહેરો અને ગામડાનો મધ્યમ વર્ગ આપ  તરફ ખેંચાયો છે. આપ જો ભાજપના મતદારો તોડશે તો આ ચૂંટણીમાં ભાજપ માટે જીતવું મુશ્કેલ છે. કોંગ્રેસને એટલું નુકસાન થતું જોવા મળતું નથી કારણ કે તેના મતદારો દરેક પરિસ્થિતીમાં પાર્ટીને વફાદાર રહ્યા છે.




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.