આ વખતની ચૂંટણીમાં નવી ફેશન ચાલશે, આતંકવાદી જૂનૂ થયું, 'અર્બન નક્સલ' આવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-04 15:51:54

અરવિંદ કેજરીવાલ 'અર્બન નક્સલી' - દેવુસિંહ ચૌહાણ

વડોદરામાં આવેલા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ અર્બન નક્સલવાદીઓનું ટોળું છે, મેધા પાટકરની સાથે એ હતા અને નર્મદા યોજના અટકાવવા માટે ફંડ પણ ત્યાંથી આવતું હતું, પણ ગુજરાતીઓ હોંશિયાર હોય છે અને આવા લોકોને ઓળખી લે છે.


કચ્છમાં સી.એમએ મેધા પાટકરને અર્બન નક્સલી કહ્યા

પીએમ કચ્છની મુલાકાતે હતા ત્યારે સી.એમ ભૂપેન્દ્ર પટેલે સ્ટેજ પરથી નર્મદા વિશે બોલતા કહ્યું હતું કે મેધા પાટકરે આ કામને રોકાવ્યું અને એવા અર્બન નક્સલી જ આવા કામને આડે આવે છે, એ પછી ભાજપ સમર્પીત ઓપી ઈન્ડીયાએ પણ મેધા પાટકરને આમ આદમી પાર્ટી ગુજરાતનો સીએમ ફેસ બનાવશે એવી વાત કરી હતી, જો કે આમ આદમી પાર્ટીએ આના પર કોઈ પ્રતિક્રીયા નહોતી આપી.


ચૂંટણી આવી, હવે આવું બધુ ચાલતું રહેશે

અત્યાર સુધી ઠગ, મહાઠગ સુધી વાતો પહોંચી હતી, ગોપાલ ઈટાલીયા ગૃહમંત્રી હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી કહેવા સુધી રાજનીતિ લઈ ગયા, હવે એમાં એક પગલું આગળ ભરતા દેવુસિંહ ચૌહાણે કેજરીવાલને અર્બન નક્સલી અને ટુંકમાં ગુજરાત વિરોધી કહેવાની કોશિશ કરી છે, હજું તો ચૂંટણીને સમય છે...આગે આગે દેખો હોતા હૈ ક્યાં!



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.