આ વખતની ચૂંટણીમાં નવી ફેશન ચાલશે, આતંકવાદી જૂનૂ થયું, 'અર્બન નક્સલ' આવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-04 15:51:54

અરવિંદ કેજરીવાલ 'અર્બન નક્સલી' - દેવુસિંહ ચૌહાણ

વડોદરામાં આવેલા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ અર્બન નક્સલવાદીઓનું ટોળું છે, મેધા પાટકરની સાથે એ હતા અને નર્મદા યોજના અટકાવવા માટે ફંડ પણ ત્યાંથી આવતું હતું, પણ ગુજરાતીઓ હોંશિયાર હોય છે અને આવા લોકોને ઓળખી લે છે.


કચ્છમાં સી.એમએ મેધા પાટકરને અર્બન નક્સલી કહ્યા

પીએમ કચ્છની મુલાકાતે હતા ત્યારે સી.એમ ભૂપેન્દ્ર પટેલે સ્ટેજ પરથી નર્મદા વિશે બોલતા કહ્યું હતું કે મેધા પાટકરે આ કામને રોકાવ્યું અને એવા અર્બન નક્સલી જ આવા કામને આડે આવે છે, એ પછી ભાજપ સમર્પીત ઓપી ઈન્ડીયાએ પણ મેધા પાટકરને આમ આદમી પાર્ટી ગુજરાતનો સીએમ ફેસ બનાવશે એવી વાત કરી હતી, જો કે આમ આદમી પાર્ટીએ આના પર કોઈ પ્રતિક્રીયા નહોતી આપી.


ચૂંટણી આવી, હવે આવું બધુ ચાલતું રહેશે

અત્યાર સુધી ઠગ, મહાઠગ સુધી વાતો પહોંચી હતી, ગોપાલ ઈટાલીયા ગૃહમંત્રી હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી કહેવા સુધી રાજનીતિ લઈ ગયા, હવે એમાં એક પગલું આગળ ભરતા દેવુસિંહ ચૌહાણે કેજરીવાલને અર્બન નક્સલી અને ટુંકમાં ગુજરાત વિરોધી કહેવાની કોશિશ કરી છે, હજું તો ચૂંટણીને સમય છે...આગે આગે દેખો હોતા હૈ ક્યાં!



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.