ભાજપના ઉમેદવારો કિર્તીસિંહ વાઘેલા અને રાજુલ દેસાઈએ હાર માટે પાર્ટીના કાર્યકરોને જવાબદાર ઠરાવ્યા


  • Published By :
  • Published Date : 2022-12-11 20:07:46

ગુજરાત વિધાસભની ચૂંટણીનું પરિણામ તો જાહેર થઈ ગયું પણ હારેલા ઉમેદવારો હજુ પણ હારને પચાવી શક્યા નથી. હારેલા ઉમેદવારો તેમની હાર માટે પોતાની જ પાર્ટીના કાર્યકરો તથા સ્થાનિક નેતાઓને જવાબદાર ઠરાવી રહ્યા છે. જેમ કે ભાજપના હારેલા 26 ઉમેદવારો પૈકી બે ઉમેદવારોએ પોતાની હાર માટે ભાજપના જ સ્થાનિક નેતાઓને જવાબદાર ગણાવવાનું શરૂ કરી દીધું છે. 


ભાજપના બે ધારાસભ્યએ શું આરોપ લગાવ્યો?


કાંકરેજ બેઠકથી કૉંગ્રેસના ઉમેદવાર અમરત ઠાકોર સામે 5 હજારથી વધુ મતથી હારનાર ભાજપના કિર્તીસિંહ વાઘેલાએ હારનું ઠીકરૂ સ્થાનિક નેતાઓ પર ફોડ્યું હતું. તે જ પ્રકારે અન્ય એક ભાજપના ઉમેદવાર રાજુલબેન દેસાઈએ ભાજપના સ્થાનિક નેતાઓને હાર માટે જવાબદાર ઠરાવ્યા છે. પાટણ બેઠકથી કૉંગ્રેસના કિરીટ પટેલ સામે 17 હજાર કરતા વધુ મતે હારનાર ડૉ. રાજુલબેન દેસાઈએ પાટણમાં સભા યોજી હતી. સભામાં પોતાની હાર માટે ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓને આડકતરી રીતે ઈશારો કરતા તેમને જયચંદ જવાબદાર ગણાવ્યા હતા. રાજુલ બેને પોતાના ભાષણમાં પૃથ્વીરાજ ચોહાણનું ઉદાહરણ આપતા કહ્યું, "પૃથ્વીરાજ ચોહાણને હરાવનાર જયચંદ હતા ત્યારે મને હરાવવા પણ કેટલાક જયચંદ કામે લાગ્યા હતા". રાજુલબેન દેસાઈએ જાહેર સભામાં પક્ષના કાર્યકર્તાઓને પાર્ટી વિરૂદ્ધ ગણાવતા મામલો ગરમાયો હતો. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.