ભાજપે રાજકોટ જિલ્લા સંગઠનમાં કર્યા ફેરફાર, આ સ્થાનિક નેતાઓને મળી મોટી જવાબદારી


  • Published By :
  • Published Date : 2023-06-20 19:07:18

લોકસભા ચૂંટણીને લઈ ભાજપના નેતાઓએ કમર કસી લીધી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબુત બનાવવા માટે સંગઠનનમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ સી.આર. પાટીલ દ્વારા રાજકોટ જિલ્લાના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લામાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી અને કોષાધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે. 


ચર્ચા-વિચારણા બાદ નિર્ણય


ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ,  સંગઠન મહામંત્રી રત્‍નાકર પ્રદેશ મહામંત્રી તેમજ સૌરાષ્‍ટ્ર જોનના પ્રભારી વિનોદભાઈ ચાવડા,  રાજકોટ જિલ્લા પ્રભારી ધવલભાઈ દવે સાથે ચર્ચા વિચારણા કરી રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરીયા દ્વારા નીચે મુજબના ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના સંગઠન પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.


આ પદાધિકારીઓની નિમણૂક


ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના સંગઠનમાં વિવિધ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ખોડાભાઈ ખસિયા ઉપપ્રમુખ -વીંછીયા, જયેશભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ -ઉપલેટા, ગોવિંદભાઈ રાણપરિયા ઉપપ્રમુખ -જામ કંડોરણા, પ્રફુલભાઈ ટોળીયા ઉપપ્રમુખ-ગોંડલ, બિંદિયાબેન મકવાણા ઉપપ્રમુખ જેતપુર, રાજુભાઈ ધારૈયા ઉપપ્રમુખ રાજકોટ તાલુકા, રીનાબેન ભોજાણી ઉપપ્રમુખ ગોંડલ, રમાબેન મકવાણા ઉપપ્રમુખ જસદણનો સમાવેશ થાય છે. તે જ રીતે હરેશભાઈ હેરભા મહામંત્રી જસદણ, નરેંદ્રસિંહ એમ જાડેજા મહામંત્રી રાજકોટ તાલુકા, રવિભાઈ માકડીયા મહામંત્રી ઉપલેટા તરીકે તેમની નિમણૂક કરાઈ છે. જ્યારે વલ્લભભાઈ જાપડીયા મંત્રી વીંછીયા, મનોજભાઈ રાઠોડ મંત્રી રાજકોટ તાલુકા, રાજુભાઈ સાવલિયા મંત્રી કોટડા સાંગાણી, વલ્લભભાઈ શેખલિયા મંત્રી રાજકોટ, જસ્મીન પીપળીયા મંત્રી રાજકોટ તાલુકા, વીશાલભાઈ ફાંગલીયા મંત્રી લોધિકા, સીમાબેન જોષી મંત્રી રાજકોટ તાલુકા, વદંનાબેન સોની મંત્રી પડધરી, જ્યારે મનીષાબેન ગોવાણીને કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.