ગુજરાતમાં ચૂંટણી માટે ઉત્સુક આમ આદમી પાર્ટી પર ભાજપે કર્યો પ્રહાર, ફોટોને લઈ ભાજપે સાધ્યું નિશાન


  • Published By :
  • Published Date : 2022-11-04 12:48:10

ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતરી છે. જ્યારથી ચૂંટણી પ્રચાર શરૂ થયો છે ત્યારથી ભાજપ અને આપ વચ્ચે શાબ્દિક પ્રહાર થતા રહે છે. ત્યારે ફરી એક વખત ભાજપના નેતા યજ્ઞેશ દવેએ આપ પર પ્રહાર કર્યા હતા. પ્રહાર કરતા તેમણે ટ્વિટ કર્યું કે ગુજરાતને ભોળવવા ગુજરાતી બોલનાર એ ભૂલી ગયા છે કે સરદાર પટેલ અને ગાંધીજી પણ ગુજરાતી હતા.

  

ઓફિસમાં લાગેલા ફોટાને લઈ ગરમાઈ રાજનીતિ 

ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અનેક વખત આરોપ-પ્રતિઆરોપ થતા રહે છે. ગુજરાતમાં આ વખતે અરવિંદ કેજરીવાલ પણ પ્રચાર કરી રહ્યા છે. આપનો પ્રચાર કરતી વખતે તેઓ અનેક વખત ગુજરાતીમાં બોલ્યા છે. અનેક વખત પ્રેસ કોન્ફરન્સ કરી તેઓ લોકો સામે આવતા હોય છે. આ વખતે ઓફિસમાં લાગેલા ફોટોને લઈ રાજનીતિ ગરમાઈ છે. કેજરીવાલની ઓફિસમાં આંબેડકર અને ભગત સિંહના ફોટો હોવાને કારણે યજ્ઞેશ દવેએ પ્રહાર કર્યો છે.

BJP tried to buy 10 AAP MLAs in Punjab for Rs 25 crore each: Arvind Kejriwal

ગાંધી-સરદારનું અપમાન કરનારને ગુજરાત માફ નહીં કરે - યજ્ઞેશ દવે 

ભાજપના યજ્ઞેશ દવેએ ટ્વિટ કરી લખ્યું કે ગુજરાતને ભોળવવા ગુજરાતી બોલનારએ ભૂલી ગયા છે કે સરદાર પટેલ અને ગાંધીજી પણ ગુજરાતી હતા અને એક મુખ્ય પ્રધાન તરીકે નીતિ નિયમો અનુસાર પણ તેમની પાછળ ગાંધીજી અને સરદાર પટેલની તસવીર હોવી જોઈએ તે ગાયબ છે. રેવડીને બધા ઓળખી ગયા છે ગાંધી સરદારનું અપમાન કરનારને ગુજરાત માફ નહીં કરે. 




સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.