દિલ્હી મોડલ પર ભાજપના આપને સવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 16:27:04

ગુજરાત વિધાનસભા જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આક્ષેપ-પ્રતિઆક્ષેપો વધી રહ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની રાજનીતિ કરિયર શરૂ કરવા તત્પર બની છે. જેને લઈ અનેક વખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે વારંવાર આવી રહ્યા છે. ભાજપ અને આપ વચ્ચે આરોપ-પ્રતિઆરોપ લગાવાઈ રહ્યા છે. ત્યારે યજ્ઞેશ દવેએ ફરી એક વખત RTI કરી આપ પર પ્રહાર કર્યા છે.

યજ્ઞેશ દવેએ RTI કરી મેળવી જાણકારી

ભાજપના સ્ટેટ મીડિયા કન્વિયર યજ્ઞેશ દવેએ અનેક વખત RTI કરી આપ સરકાર પર પ્રશ્ન ઉઠાવ્યા છે. આ વખતે તેમણે ટ્વિટ કરી આક્ષેપ કર્યા છે. આ પહેલા યજ્ઞેશ દવેએ RTI કરી દિલ્હીમાં નોકરી વિશે તેમજ આયુષ્માન ભારત યોજના લાગૂ ન કરવા વિશે માહિતી મેળવી અરવિંદ કેજરીવાલ સરકાર પર પ્રહાર કર્યા છે.


સરકારની કામગીરી વિશે સામાન્ય લોકોને જાણકારી મળે તે માટે RTIની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ રાજકીય પાર્ટીઓ પોતાના ફાયદા માટે આનો ઉપયોગ કરશે તેતો કોઈએ વિચાર્યું પણ નહીં હોય. 

   



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.