સત્તાવિરોધી લોકજુવાળથી ચિંતિંત ભાજપ વર્તમાન 50 ટકાથી વધુ MLAનું પત્તુ કાપશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 15:46:54

ગુજરાતની વિધાનસભા ચૂંટણી નજીક આવતી જાય છે તેમ શાસક પક્ષ  ભાજપની મુશ્કેલીઓ પણ વધી રહી છે. સમાજનો લગભગ દરેક વર્ગ સરકાર સામે આવી ગયો છે. કર્મચારી સંગઠનો, ખેડૂતો, માલધારીઓ અને બેરોજગાર યુવાનો ખુલ્લેઆમ સરકારના વિરોધમાં ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. બીજી તરફ એવા લોકો પણ છે જે ભાજપના 27 વર્ષના શાસનથી ગળે આવી ગયા છે. આ લોકો પ્રગટપણે વિરોધ નથી કરતો પણ આ શાંત મતદારો વિધાનસભાની ચૂંટણીમાં ચોક્કસપણે ભાજપની સામે હશે. ભાજપના ટોચના અને અનુભવી નેતાઓ પણ સત્તાવિરોધી લોકજુવાળને જાણી ગયા છે.


મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત લોકો 


રાજ્યમાં આજે સામાન્ય લોકોનો મોટ પ્રશ્ન રોટી,કપડા અને મકાન છે. ભાજપના 27 વર્ષના શાસનમાં શિક્ષણ મોંઘુદાટ થયું છે, શિક્ષણનું ખાનગીકરણ થવાથી સામાન્ય માણસ માટે પોતાના બાળકોને સારી શાળામાં ભણાવવા લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે. અનાજ, કઠોળ, ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. આ કારમી મોઘવારીએ લોકોની ચિંતા વધારી છે, નોકરીયાત વર્ગનો પગાર વધતો નથી પણ મોંઘવારી બેકાબુ બની છે. આ સ્થિતીમાં લોકોને એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ થયો છે. ગુજરાત આમ તો ઔદ્યોગિક રાજ્ય છે પણ હાલની સ્થિતી એવી છે કે ભણેલા યુવાનોને પણ નોકરી મળતી નથી આ ડિગ્રીધારી યુવાનોનો રાજ્ય સરકાર સામે ઉગ્ર રોષ ગાંધીનગરમાં થતાં ધરણામાં સ્પષ્ટપણે જોવા મળે છે.


50 ટકા કરતાં વધુ ધારાસભ્યોની ટિકિટ કપાશે


ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનથી વ્યાપક પ્રમાણમાં એન્ટી ઈન્કમ્બન્સી જોવા મળી રહી છે. આ સ્થિતીને ખાળવા માટે 50 ટકા કરતાં વધુ ધારાસભ્યોની ટિકિટ કપાશે તેવું માનવામાં આવે છે. આ વિધાનસભા ચૂંટણી ભાજપ નવા અને યુવાન નેતૃત્વને તક આપવા માંગે છે. ભાજપ આવું કરીને 27 વર્ષથી સત્તામાં ટકી રહી છે. કોરોનાની બીજી વેવ પછી ગુજરાત સરકારનો વ્યાપક વિરોધ થતાં નો-રીપીટ થિયરી અપનાવવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમનું મંત્રીમંડળ સંપૂર્ણપણે બદલી નાખવામાં આવ્યાં હતાં.  રૂપાણીના સ્થાને આવેલી નવી સરકારથી પણ જનતા એટલી રાજી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે 2017માં ભાજપને 99 બેઠક જ મળી હતી.


આ વખતનો સરકાર વિરોધી લોકજુવાળ જોતા ભાજપ માટે ફરીથી સત્તા પ્રાપ્ત કરવી મુશ્કેલ જણાય છે. તેમાં પણ કોંગ્રેસની સાથે-સાથે ભાજપને હવે બીજા મોરચે આમ આદમી પાર્ટી તરફથી પણ પડકાર મળી રહ્યો છે. પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા એટલા માટે જ અવારનવાર ગુજરાતની મુલાકાતં આવી રહ્યા છે.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.