ભાજપે ઉમેદવારોના નામની કરી જાહેરાત, અમદાવાદ શહેરમાં માત્ર 3 ઉમેદવારોને જ કરાયા રિપિટ


  • Published By :
  • Published Date : 2022-11-10 14:53:38

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પોતાની પ્રથમ યાદીમાં 160 ઉમેદવોરાના નામ જાહેર કરાયા છે. ભાજપે આ વખતે નો રિપીટ થિયરી પર વધારે ફોક્સ કર્યું છે. જેને કારણે મેગાસીટી માટે ભાજપે આ થિયરી અપનાવી છે. જેને કારણે અનેક દિગ્ગજ નેતાઓના નામ કપાયા છે. જ્યારે અમદાવાદ માટે ભાજપે માત્ર 3 ઉમેદવારોને જ રિપીટ કર્યા છે. ભાજપે ઘાટલોડિયાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રિપીટ કર્યા છે,  અમરાઈવાડીથી હસમુખ પટેલ તેમજ દસ્કોઈથી બાબુ જમના પટેલને રિપિટ કરાયા છે.   

આ ત્રણ ઉમેદવારને કરાયા રિપિ

પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરતા પહેલા ભાજપે ઉમેદવારો માટે ઘણી બેઠકો કરી હતી. બુધવારે મળેલી બેઠકમાં ઉમેદવારોના નામની ચર્ચા કરવા આવી હતી જે બાદ આજે ભાજપે 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે.  ભાજપે અમુક ઉમેદવારોને જ રિપિટ કર્યા છે અને નવા ઉમેદવારોને તક આપી છે. અમદાવાદમાં મુખ્યમંત્રી, અમરાઈવાડીથી હસમુખ પટેલ,  ઉપરાંત બાબુ જમના પટેલને ફરી એક વખત ટિકિટ આપવામાં આવી છે.


આ વખતે કોને કોને અપાઈ છે ટિકિટ

2017થી ઘાટલોડિયાથી ભૂપેન્દ્ર પટેલને જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે આ વખતે પણ ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપવામાં આવી છે. એલિસબ્રિજ પરથી 2017માં રાકેશ શાહને ટિકિટ અપાઈ હતી જ્યારે આ વખતે અમિત શાહને ટિકિટ આપવામાં આવી છે. કૌશિક પટેલને નારણપુરાથી 2017માં ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા જ્યારે આ વખતે જીતેન્દ્ર પટેલને ટિકિટ આપવામાં આવી છે. નિકોલથી 2017માં જગદીશ પંચાલને ટિકિટ આપવામાં આવી હતી જ્યારે આ વખતે જગદીશ વિશ્વકર્માને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 

2017માં બલરામ થાવાણીને નરોડાથી ટિકિટ અપાઈ હતી જ્યારે આ વખતે ડોં. પાયલ કુકરાણીને ટિકિટ આપવામાં આવી છે. બાપુનગરથી આ વખતે દિનેશ કુશવાને ટિકિટ આપવામાં આવી છે જ્યારે 2017માં જગરૂપસિંહ રાજપૂતને ટિકિટ આપવામાં આવી હતી. અમરાઈવાડીથી હસમુખ પટેલને રિપિટ કરવામાં આવ્યા છે. મણીનગરથી આ વખતે અમૂલ ભટ્ટને સુરેશ પટેલની જગ્યાએ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 

નરેશ વ્યાસને આ વખતે દાણી લીમડાથી ટિકિટ આપવામાં આવી છે જ્યારે 2017માં ગિરિશ પરમારને ટિકિટ આપવામાં આવી હતી. સાબરમતીથી ડોં. હર્ષદ પટેલને ટિકિટ આપવામાં આવી છે. અસારવાથી દર્શનાબેન વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે જ્યારે 2017માં આ સીટ પ્રદિપ પરમારની હતી. ઠક્કરબાપા નગરમાં આ વખતે કંચન રાદડિયાને ટિકિટ આપવામાં આવી હતી જ્યારે 2017માં આ સીટ પર વલ્લભ કાકડીયાને ઉતારવામાં આવ્યા હતા, અમિત ઠાકોરને આ વખતે વેજલપુરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.      




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!