કર્ણાટક ચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યો ઘોષણા પત્ર! જાણો કર્ણાટકની જનતાને ભાજપે શું કર્યા છે વાયદા!


  • Published By :
  • Published Date : 2023-05-01 12:43:21

કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટી દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે ચૂંટણીને લઈ ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. બેંગ્લોર ખાતે આવેલા ભાજપના મુખ્યાલયમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ચૂંટણીને લઈ ઘોષણાપત્ર જાહેર કર્યો છે જેને પ્રજા ધ્વનિ નામ તરીકે ઓળખવામાં આવશે. ઘોષણા પત્રમાં ભાજપ દ્વારા અનેક દાવા કરવામાં આવ્યા છે. ઘોષણા પત્રમાં બીપીએલ પરિવારને ત્રણ ગેસ સિલિન્ડર મફત આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.

 


કર્ણાટક માટે ભાજપે જાહેર કર્યો ઘોષણા પત્ર! 

10 મેના રોજ કર્ણાટકમાં ચૂંટણી હાથ ધરાવાની છે. ચૂંટણીને લઈ દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ભાજપે ચૂંટણીને લઈ ઘોષણાપત્ર જાહેર કરી દીધો છે. ભાજપે પોતાના ઘોષણા પત્રનું નામ પ્રજા ધ્વનિ નામ આપ્યું છે. જે.પીનડ્ડાએ ઘોષણા પત્રને જાહેર કર્યો છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ અને બીએસ યેદિયુરપ્પા હાજર રહ્યા હતા. ભાજપ દ્વારા જે વાયદા કરવામાં આવ્યા છે તેમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત બીપીએલ પરિવારને ત્રણ સિલિન્ડર મફત આપવામાં આવશે. ખેડૂતોને બિયારણ માટે 10 હજાર રુપિયા આપવામાં આવશે. તે સિવાય દરેક વોર્ડમાં અટલ આહાર કેન્દ્ર બનાવવાનો પ્લાન છે. 


પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધીએ કરી મહત્વની જાહેરાત!      

મહત્વનું છે કે કર્ણાટકમાં પ્રચાર માટે પાર્ટીઓના સ્ટાર પ્રચારકો આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં થોડા દિવસ પહેલા જનસભા કરી હતી અને તે દરમિયાન કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તે ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધીએ કર્ણાટકમાં રેલી કરી હતી. જે દરમિયાન પ્રિયંકા ગાંધીએ કર્ણાટકમાં આંગણવાડીઓમાં કામ કરતી મહિલાઓ માટે મોટી જાહેરાત કરી હતી. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.