ભાજપે જાહેર કરી રાષ્ટ્રીય પદાધિકારીઓની યાદી, જુઓ કોના કોના નામોનો કરાયો છે સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-07-29 16:58:42

આગામી સમયમાં અનેક રાજ્યોમાં વિધાનસભાની તેમજ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી એમ પણ પોતાના પ્લાનિંગ તેમજ પોતાની સ્ટેટરજીને લઈ ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ પાર્ટી એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પોતાની નવી ટીમની જાહેરાત કરી દીધી છે. જે નવી ટીમને મેદાનમાં ઉતારવામાં આવી છે  તેમાં 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 8 રાષ્ટ્રીય મહામંત્રી અને 13 સચિવની નિયુક્તિ કરવામાં આવી છે. કેન્દ્રીય પદાધિકારીઓની યાદીમાં 38 નામ જાહેર કરવામાં આવ્યા છે.

લોકસભા ચૂંટણીની ભાજપે શરૂ કરી ચૂંટણીની તૈયારી 

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ વખતની ચૂંટણીમાં INDIA Vs NDAનો મુકાબલો જોવા મળવાનો છે. ભાજપને પરાસ્ત કરવા માટે  વિપક્ષી પાર્ટીઓ એક થઈ છે જેમના ગઠબંધનના નામને INDIA આપવામાં આવ્યું છે. ત્યારે લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જે.પી.નડ્ડાએ આજે પોતાની નવી ટીમ જાહેર કરી છે. 

આ રહ્યા નવા પદાધિકારીઓના નામ 

ભાજપે 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 8 રાષ્ટ્રીય મહામંત્રી અને 13 સચિવની નવી નિયુક્તિ કરી છે. સંગઠનના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે બીએલ સંતોષની પસંદગી કરવામાં આવી છે, સાથે જ શિવપ્રકાશને રાષ્ટ્રીય સહ-સંગઠન મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી છે. તે સિવાય પૂર્વ મુખ્યમંત્રીઓ ડો.રમણ સિંહ, વસુંધરા રાજે, રઘુવર દાસને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. મધ્યપ્રદેશના સૌદાન સિંહને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.