ભાજપે જાહેર કરી રાષ્ટ્રીય પદાધિકારીઓની યાદી, જુઓ કોના કોના નામોનો કરાયો છે સમાવેશ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-29 16:58:42

આગામી સમયમાં અનેક રાજ્યોમાં વિધાનસભાની તેમજ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી એમ પણ પોતાના પ્લાનિંગ તેમજ પોતાની સ્ટેટરજીને લઈ ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ પાર્ટી એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પોતાની નવી ટીમની જાહેરાત કરી દીધી છે. જે નવી ટીમને મેદાનમાં ઉતારવામાં આવી છે  તેમાં 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 8 રાષ્ટ્રીય મહામંત્રી અને 13 સચિવની નિયુક્તિ કરવામાં આવી છે. કેન્દ્રીય પદાધિકારીઓની યાદીમાં 38 નામ જાહેર કરવામાં આવ્યા છે.

લોકસભા ચૂંટણીની ભાજપે શરૂ કરી ચૂંટણીની તૈયારી 

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ વખતની ચૂંટણીમાં INDIA Vs NDAનો મુકાબલો જોવા મળવાનો છે. ભાજપને પરાસ્ત કરવા માટે  વિપક્ષી પાર્ટીઓ એક થઈ છે જેમના ગઠબંધનના નામને INDIA આપવામાં આવ્યું છે. ત્યારે લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જે.પી.નડ્ડાએ આજે પોતાની નવી ટીમ જાહેર કરી છે. 

આ રહ્યા નવા પદાધિકારીઓના નામ 

ભાજપે 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 8 રાષ્ટ્રીય મહામંત્રી અને 13 સચિવની નવી નિયુક્તિ કરી છે. સંગઠનના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે બીએલ સંતોષની પસંદગી કરવામાં આવી છે, સાથે જ શિવપ્રકાશને રાષ્ટ્રીય સહ-સંગઠન મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી છે. તે સિવાય પૂર્વ મુખ્યમંત્રીઓ ડો.રમણ સિંહ, વસુંધરા રાજે, રઘુવર દાસને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. મધ્યપ્રદેશના સૌદાન સિંહને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.