ભાજપાએ યુપી, હરિયાણા અને તેલંગાણાના ઉમેદવારોના નામ જાહેર કર્યા, વાંચો સંપૂર્ણ યાદી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 14:18:24

ભારતીય જનતા પાર્ટીએ હરિયાણા, તેલંગાણા અને ઉત્તર પ્રદેશની વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ બેઠકો પર 3 નવેમ્બર, 2022ના રોજ મતદાન થવાનું છે. ચૂંટણી પંચે 3 ઓક્ટોબરે છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની તારીખ જાહેર કરી હતી. જેમાં મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, ઓડિશામાં એક-એક વિધાનસભા બેઠક પર મતદાન થશે જ્યારે બિહારની બે વિધાનસભા બેઠકો પર મતદાન થશે.


આ દિગ્ગજોને ટિકિટ મળી


ભાજપે શનિવારે હરિયાણામાં આદમપુર વિધાનસભા પેટાચૂંટણી માટે પાર્ટીના નેતા કુલદીપ બિશ્નોઈના પુત્ર ભવ્યા બિશ્નોઈને તેના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. બીજી તરફ, કે રાજગોપાલ રેડ્ડીને તેલંગાણાના મુનુગોડેથી અને અમન ગિરીને ઉત્તર પ્રદેશના ગોલા ગોરખનાથથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.


હરિયાણાના વરિષ્ઠ નેતા કુલદીપ બિશ્નોઈ અને તેલંગાણાના રાજગોપાલ રેડ્ડી ભાજપમાં જોડાતા પહેલા અનુક્રમે આદમપુર અને મુનુગોડેના કોંગ્રેસના ધારાસભ્ય હતા. અમન ગિરી અરવિંદ ગિરીનો પુત્ર છે, જે ગોલા ગોકરનાથથી ભાજપના ધારાસભ્ય હતા અને ગયા મહિને તેમનું અવસાન થયું હતું, જેના કારણે મતવિસ્તારમાં પેટાચૂંટણી જરૂરી છે.


નોંધણીથી પરિણામ સુધીની તારીખોની જાહેરાત


નોમિનેશનની તારીખ 14 ઓક્ટોબર છે, જ્યારે નોમિનેશન પાછું ખેંચવાની તારીખ 17 ઓક્ટોબર છે. 3 નવેમ્બરે મતદાન થશે જ્યારે 6 નવેમ્બરે પરિણામ આવશે.


ચૂંટણી પંચે પંકજ ત્રિપાઠીને નેશનલ આઈકોન બનાવ્યા

જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠીને ચૂંટણી પંચે પોતાનો નેશનલ આઇકોન બનાવ્યો છે. ECના મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે સોમવારે આની જાહેરાત કરી હતી. 2014માં ચૂંટણી પંચે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો.


આ વિધાનસભા બેઠકો પર મતદાન થશે

મહારાષ્ટ્રના અંધેરી પૂર્વ, બિહારના મોકામા અને ગોપાલગંજ, હરિયાણાના આદમપુર, તેલંગાણાના મુનુગોડે, ઉત્તર પ્રદેશના ગોલા ગોકરાનાથ અને ઓડિશાના ધામનગર (SC)માં મતદાન થશે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.