ભાજપ અને આપ ધાર્મિક મુદ્દા પર આમને સામને


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 20:44:01

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ધર્મની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. થોડા દિવસો અગાઉ દિલ્લીના મુખ્યમંત્રીના ધાર્મિક પોસ્ટર અનેક શહેરોમાં લાગ્યા હતા કેજરીવાલનો વિવાદ ઉભો કરનાર ભાજપ સામે આમ આદમી પાર્ટીએ મોરચો ખોલ્યો છે. 


ઈસુદાન ગઢવી ભાજપના નેતા પર કર્યા પ્રહાર 

ઈસુદાન ગઢવીએ વીડિયો જાહેર કરીને ભાજપ સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ભાજપના નેતાએ મા સરસ્વતી-દુર્ગા-લક્ષ્મી પર ટિપ્પણી કરી. મને સમજાતું નથી તે શા માટે મા જગદંબાઓનું અપમાન કરે છે. કોઈ ફિલ્મો બનાવીને અપમાન કરે છે, તો કોઈ ટિપ્પણીઓ કરીને અપમાન કરે છે. અમેં માગણી કરીએ છીએ કે આવા નેતાને ભાજપ તાત્કાલીક સસ્પેન્ડ કરે. જેપી નડ્ડા આમ તો બધી બાબતોમાં કુદી પડે છે તો પોતાની પાર્ટીના નેતા પર કેમ ચૂપ છે. તમારા એક ભાજપના વ્યક્તિના નિવેદનથી લાખો લોકોની લાગણી દુભાઈ છે. એક તરફ માતાના મંદિરેથી યાત્રાઓ કાઢો છો ને બીજી તરફ આવા બેફામ નિવેદનો આપો છે આવી ઢોલકી કેમ વગાડો છો. 


ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા પર યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા 

સમગ્ર બાબત પર ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે સાથે જ્યારે જમાવટે પ્રતિક્રિયા માગી ત્યારે યજ્ઞેશ દવેએ કંઈ પણ પ્રતિક્રિયા આપવાની મનાઈ કરી દીધી હતી. 


બંશીધર ભગત માતાજી વિશે શું બોલ્યા?

ઉત્તરાખંડના પૂર્વ કેબિનેટમંત્રી અને કાલાઢૂંગીના ધારાસભ્ય બંશીધર ભગતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ પર હિંદુ દેવીઓ પર વિવાદિત નિવેદન આપ્યું હતું. 



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.