ટાટાએ બિસ્લેરીને રૂ.7000 કરોડમાં ખરીદી, રિલાયન્સ અને નેસ્લે પણ હતા હોડમાં


  • Published By :
  • Published Date : 2022-11-24 17:18:53

ભારતના સોફ્ટ ડ્રિંક જાયન્ટ્સ થમ્સઅપ, ગોલ્ડસ્પોટ અને લિમ્કાને કોકા-કોલાને વેચ્યાના લગભગ ત્રણ દાયકા પછી, રમેશ ચૌહાણે બિસ્લેરી ઇન્ટરનેશનલને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડને રૂ. 6000 થી 7000 કરોડની વચ્ચે વેચી છે. બિસ્લેરીનું વર્તમાન મેનેજમેન્ટ 2 વર્ષ સુધી કામકાજ ચાલુ રાખશે.  82 વર્ષીય રમેશ ચૌહાણ, છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત તબિયતનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે બિસ્લેરીને તેના વિસ્તરણના આગલા લેવલ પર લઈ જવા માટે તેમની પાસે કોઈ અનુગામી નથી.


રમેશ ચૌહાણ હતા માલિક


રમેશ ચૌહાણે કહ્યું છે કે તેમની પુત્રી જયંતિને બિઝનેસમાં રસ નથી. બોટલ્ડ વોટર બિઝનેસમાં દિગ્ગજ કંપની બિસ્લેરીને ખરીદવા માટે રિલાયન્સ રિટેલ અને નેસ્લે જેવી કંપનીઓએ પણ વાતચીત શરૂ કરી હતી. ટાટા સાથે પણ બિસ્લેરીની વાતચીત લગભગ 2 વર્ષથી ચાલી રહી છે.


બિસ્લેરી બ્રાન્ડ પર ટાટાનો મોટો દાવ


થોડા સમય પહેલા, રમેશ ચૌહાણે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન અને ટાટા કન્ઝ્યુમરના સીઈઓ સુનીલ ડિસોઝા સાથે મીટિંગ કર્યા બાદ બિસ્લેરી બ્રાન્ડ વેચવાનો નિર્ણય કર્યો હતો.  બિસ્લેરી બ્રાન્ડ પર ટાટાનો મોટો દાવ ગ્રાહકો સુધી પહોંચવાના એક કદમ તરીકે જોવામાં આવે છે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.