Mahatma Gandhi તેમજ Lal Bahadur Shastriની આજે જન્મજયંતિ, President તેમજ PMએ બંને રાજનેતાઓને અર્પી પુષ્પાંજલિ


  • Published By :
  • Published Date : 2023-10-02 10:36:20

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તેમજ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ છે. બંને રાજનેતાઓએ પોતાના દેશના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. રાજઘાટ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તે સિવાય ઉપરાષ્ટ્રપતિ સહિત અનેક નેતાઓ ગાંધી બાપુને રાજઘાટ ખાતે જઈ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વિજયઘાટ પર જઈ રાષ્ટ્રપતિ, પીએમ મોદીએ લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા હતા.  તે સિવાય અનેક નેતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બંને રાજનેતાઓને યાદ કર્યા છે અને શ્રદ્ધાંજલિ પાઠવી છે. 


સોશિયલ મીડિયા પર પીએમ મોદીએ બાપુને કર્યા યાદ 

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કરી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. પોતાના પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે ગાંધી જયંતિના ખાસ અવસર પર હું મહાત્મા ગાંધીને નમન કરું છે. તેમના ઉપદેશો માર્ગદર્શન આપે છે. મહાત્મા ગાંધીનો પ્રભાવ વૈશ્વિક છે, જે સમગ્ર માનવજાતને એકતા અને કરૂણાની ભાવનાને અનુસરવા માટે પ્રેરણા આપે છે. તેમના સપનાને સાકાર કરવા માટે આપણે હંમેશા કામ કરતા રહીએ. 


દેશના પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને પણ પાઠવી શ્રદ્ધાંજલિ

મહાત્મા ગાંધી ઉપરાંત દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પણ પીએમ મોદીએ યાદ કર્યા હતા. સોશિયલ  મીડિયા પ્લેટફોર્મ પર લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરતા લખ્યું કે "લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર યાદ કરું છું. દેશ પ્રત્યેની તેમની સાદગી અને સમર્પણ અને 'જય જવાન, જય કિસાન' ના નારા આજે પણ દેશની પેઢીઓને પ્રેરણા આપે છે. ભારતની પ્રગતિ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને પડકારજનક સમયમાં તેમનું નેતૃત્વ અનુકરણીય છે. "



મહાત્મા ગાંધીને વિદેશમાં વસતા લોકો પણ યાદ કરે છે!

મહાત્મા ગાંધી જેમને આપણે રાષ્ટ્રપિતા તરીકે ઓખળીએ છીએ તેમની આજે જન્મ જયંતી છે. મહાત્મા ગાંધીને ન માત્ર ભારતમાં યાદ કરવામાં આવે છે પરંતુ વિદેશમાં પણ ગાંધીજીને યાદ કરવામાં આવે છે. બાપુના તેમજ ગાંધીવાદી વિચારધારાના ચાહકો ભારત ઉપરાંત વિદેશમાં વસે છે. વિદેશીઓ પણ બાપુને માનથી બોલાવે છે. વિદેશથી જ્યારે કોઈ રાષ્ટ્રીય મહેમાન ભારત આવે છે ત્યારે તેઓ અચૂકપણ રાજઘાટ જઈ બાપુને પુષ્પાંજલી અર્પણ કરતા હોય છે. ગાંધીજીએ અહિંસાને પોતાનું શસ્ત્ર બનાવ્યું હતું. 



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.