બિપોરજોય વાવાઝોડું બન્યું પ્રાણઘાતક! વાવાઝોડાને કારણે આટલા લોકોનું થયું નિધન, પહેલા પણ બની છે આવી ઘટના


  • Published By :
  • Published Date : 2023-06-16 10:35:28

ગુજરાત માટે બિપોરજોય વિનાશક સાબિત થયું છે. વાવાઝોડાને કારણે અનેક જગ્યાઓથી વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તેજ હવા ફૂંકાવવાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા જ્યારે અનેક વીજ થાંભલાઓ જમીનદોસ્ત થયા હતા. વાવાઝોડાને કારણે અનેક અબોલા પશુઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો પરંતુ વાવાઝોડાને કારણે કોઈ માનવે જીવ ગુમાવ્યો હોય તેવા સમાચાર સામે આવ્યા ન હતા. પરંતુ હવે બે લોકોના મોત થયા હોય તેવા સમાચાર સામે આવ્યા છે. ભાવનગરમાં પિતા અને પુત્રે પોતાનો જીવ ગુમાવ્યો છે. તે સિવાય સુરતથી પણ દિવાલ ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે અને બે માસુમ બાળકો તેમાં દટાયા હોવાના સમાચાર સામે આવ્યા છે.



એક જ પરિવારના બે સભ્યોના થયાં મોત!

વાવાઝોડા બાદ સર્જાયેલી તબાહીના દ્રશ્યો ધીમે ધીમે સામે આવી રહ્યા છે. વાવાઝોડાને કારણે વરસાદ વરસ્યો હતો જેને કારણે અનેક જનજીવન પ્રભાવિત થયું હતું. હજી સુધી સમાચાર એવા જ સામે આવી રહ્યા હતા કે માણસોના મોત નથી થયા. પરંતુ હવે સમાચાર સામે આવી રહ્યા છે જે મુજબ બે લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર ભાવનગરમાં એક જ પરિવારના બે સભ્યોના મોત થયા છે. પિતા અને પુત્રનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. પોતાના પશુધનને બચાવવા માટે તેમણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો. તે સિવાય સુરતથી પણ સમાચાર સામે આવી  રહ્યા છે કે ઉધનામાં દિવાલ તૂટી પડતાં 2 માસુમ બાળકો દટાયા હતા અને તેમને ઈજા પહોંચી છે.      


થોડા દિવસો પહેલા બાળકોએ ગુમાવ્યો હતો જીવ!

મહત્વનું છે કે વાવાઝોડું આવ્યું તેની પહેલા પણ અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. થોડા દિવસો પહેલા કચ્છથી સમાચાર આવ્યા જેમાં દિવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત થયાં છે જ્યારે એક બાળકને ગંભીર ઈજા પહોંચી છે. બાળકો રમી રહ્યા હતા અને ભારે પવનને કારણે દિવાલ પડી ગઈ અને બાળકોના મોત થઈ ગયા. તે સિવાય પોરબંદરના ભાટિયા બજારમાં જૂનું મકાન ધરાશાયી થયું અને તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારે આજે પણ વાવાઝોડાને કારણે બે લોકોના મોત થયાં હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.