બિપોરજોય ઈફેક્ટ: સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ગામોમાં વીજ સંકટ, સૌરાષ્ટ્રમાં PGVCLને સૌથી વધુ નુકસાન


  • Published By :
  • Published Date : 2023-06-14 15:54:10

વિનાશકારી બિપોરજોય વાવાઝોડાં કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્થિતી ચિંતાજનક બની છે. લોકોના જાનમાલના નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે ભારે વરસાદ અને સુસવાટા મારતા પવનના કારણે સૌરાષ્ટ્રના અને કચ્છના 11 કેવીના 1293 જેટલા ફીડર ઠપ થઈ ગયા છે. જેના પગલે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં છવાઈ ગયો છે. તો બીજી તરફ વાવાઝોડાંની સંભવિત અસરવાળા કચ્છ અને સૌરાષ્ટ્રના 8 જેટલાં જિલ્લાઓમાં દરિયાકાંઠાની જમીન સુધીના 5 કિલોમીટર વિસ્તારોમાં 65 ગામોમાં હજી પણ વીજ પુરવઠો ન હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે 563 ગામડાંમાં વીજ પુરવઠો ન હતો. તેમાંથી PGVCLની ટેકનિકલ ટીમોએ સાંજે સાત વાગ્યાથી સવાર સુધીમાં કુલ 498 ગામડાંઓમાં વીજ પુરવઠો કાર્યરત કરી આપ્યો છે. હજુ બાકી રહેલ 65 ગામડાંઓમાં કામગીરી ચાલુ છે. 12020 જેટલાં વીજ પોલને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.


PGVCLને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાન 


કચ્છ અને સૌરાષ્ટ્રના ગામોમાં ગઈ કાલે સાંજે જે.જી વાયના 129 ફીડર ફોલ્ટમાં હતા. તેમાંથી PGVCLની ટેકનિકલ ટીમો દ્વારા કુલ 113 ફીડર શરૂ કરી આપવામાં આવ્યા છે અને બાકી રહેતા 16 ફીડરમાં કામગીરી ચાલુ છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં PGVCLને નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારમાં જામનગર જિલ્લામાં જોવા મળે છે. જામનગર જિલ્લાના 327 ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ હોવાનું સામે આવ્યુ છે. હાલ  PGVCLની ટીમો દ્વારા ફોલ્ડ થયેલા વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.


આ જિલ્લાઓના ગામોમાં વીજળી ગુલ


રાજકોટ એગ્રીકલ્ચર 95, પોરબંદરમાં જ્યોતિગ્રામ 07, એગ્રીકલ્ચર 106, ગામમો 21,જુનાગઢ એગ્રીકલ્ચર 120,જામનગર જ્યોર્તિગ્રામ 03 ,એગ્રીકલ્ચર 327, ગામો 15, ભુજ જ્યોર્તિગ્રામ 06, એગ્રીકલ્ચર 217, ગામો 28અંજાર એગ્રીકલ્ચર 52, ભાવનગર એગ્રીકલ્ચર 46, બોટાદ એગ્રીકલ્ચર 37, અમરેલી એગ્રીકલ્ચર 124 અને સુરેન્દ્રનગર જિલ્લાના 116 ગામોનો સમાવેશ થાય છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.