બિપોરજોય વાવાઝોડાથી થયેલી નુકસાનીનો સર્વે શરૂ, કિસાન સંઘે 100 ટકા વળતરની કરી છે માગ


  • Published By :
  • Published Date : 2023-06-21 22:08:15

ગુજરાત પર ત્રાટકેલા વિનાશકારી બિપોરજોય વાવાઝોડાથી સામાન્ય લોકો અને ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાએ સૌથી વધુ વિનાસ વેર્યો છે. જો કે હવે વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો સરકાર પર આશ લગાવીને બેઠા છે. રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે બિપોરજોય વાવાઝોડાએ વેરેલા વિનાશ બાદથી નુકસાનીનો સરવે શરૂ કરી દેવાયો છે.


લોકોને ઝડપથી સહાય મળશે


ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાએ વેરેલા વિનાશ બાદથી નુકસાનીનો સરવે શરૂ કરી દેવાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સરવે બાદ તરત જ રાજ્ય સરકાર એક રાહત પેકેજ જાહેર કરશે અને અસરગ્રસ્ત લોકોને સરકાર ઝડપથી સહાય પહોંચાડશે. CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રજાને કંઈ પણ નુકશાન થયું હોય સરકાર હંમેશા તેમની સાથે ઉભી રહેશે. તંત્ર દ્વારા કુલ એક લાખથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને વેરાવળ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદના લીધે નુકસાન થયું છે.


100 ટકા વળતરની કિસાન સંઘે કરી છે માગ


બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થયું છે.ત્યારે વાવાઝોડામાં ખેડૂતોને થયેલા નુકસાનનું 100 ટકા વળતર ચૂકવવામાં આવે તેવી માગ ભારતીય કિસાન સંઘે કરી હતી. ભારતીય કિસાન સંઘના મહામંત્રીએ આ અંગે રાજ્ય સરકારને રજૂઆત કરી છે કે વાવાઝોડાને કારણે બાગાયતી પાકોને મોટું નુકસાન થયું છે. બાગાયતી પાકને ખેતી કરતા ખેડૂતોને પાંચ વર્ષે ઉત્પાદન મળતું હોય છે. ત્યારે વાવાઝોડાને કારણે થયેલી આ નુકસાનીમાં સરકારે નક્કી કરેલા ધારાધોરણોમાં થોડો બદલાવ કરી અને ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તેવી પ્રયાસ સરકાર કરે તેવી રજૂઆત કિસાન સંઘ તરફથી કરવામાં આવી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.