બિપોરજોય વાવાઝોડું: AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પાર્ટીના કાર્યકરોને કરી આ અપીલ


  • Published By :
  • Published Date : 2023-06-12 17:55:22

બિપોરજોય વાવાઝોડું 15 જૂનના રોજ કચ્છના માંડવી અને જખૌ પોર્ટની વચ્ચે ટકરાય તેવી પ્રબળ શક્યતા છે. જેના પગલે વડાપ્રધાન કાર્યાલય, રાજ્યના મુખ્યમંત્રી, અસરગ્રસ્ત જિલ્લાનું વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ કુદરતી હોનારતને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ આપના કાર્યકરોને વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો માટે તન મન અને ધનથી સેવા આપવાની અપીલ કરી છે.


ઈસુદાન ગઢવીએ કરી અપીલ


બિપોરજોય ચક્રવાતની ભયાનકતા અને વિનાશકતા જોતા આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને આપના કાર્યકરોને લોકોને મદદની અપીલ કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે 'આમ આદમીના તમામ સૈનિકો આફતના સમયમાં તૈયાર રહે ! વાવાઝોડાની આફત ગુજરાત પર મંડરાઈ રહી છે તો તમામ યોદ્ધાઓ અસરગ્રસ્ત લોકો માટે તન મન અને ધનથી સેવા આપવા માટે તૈયાર થઇ જાય ! ઈશ્વર આ આફતમાંથી ઉગારે પરંતુ આપણે સૌ વધુમાં વધુ લોકોની મદદ કરીએ એવી હું સૌ ને અપીલ કરુંછું!'


AAPએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર


બિપોરજોય વાવાઝોડામાં બચાવ અને રાહત કામગીરી માટે આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ જિલ્લાઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. AAPએ  જુનાગઢ, કચ્છ, જામનગર, ભાવનગર, મોરબી, પોરબંદર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ જિલ્લા માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો આ હેલ્પલાઈન નંબરોનો ઉપયોગ કરે તેવી પણ આમ આદમી પાર્ટી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!