બિપોરજોય ઈફેક્ટ: સૌરાષ્ટ્ર અને કચ્છના 11 kvના 2550 ફીડર ઠપ, 4000થી વધુ વીજ પોલ ધરાશાયી


  • Published By :
  • Published Date : 2023-06-16 16:43:45

વિનાશક વાવાઝોડું બિપોરજોય ગુજરાતના સૌરાષ્ટ્ર  અને કચ્છના સમુદ્ર કાંઠે ટકરાઈને આગળ રાજસ્થાન તરફ વધી ગયું છે. જો કે આ ભીષણ ચક્રવાતના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના 11 kvના 2550 જેટલાં ફીડર ઠપ થઈ ગયા છે. આ ફીડરને નુકસાન થવાથી મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વીજસંકટ સર્જાયું છે. વાવાઝોડાંની અસરવાળા કચ્છ અને સૌરાષ્ટ્રના 11 જેટલા જિલ્લાઓમાં 11,00 ગામોમાં હજી પણ વીજ પુરવઠો ન હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે 200 ગામડાંમાં વીજ પુરવઠો ન હતો. સૌરાષ્ટ્ર કચ્છમાં 4000થી વધુ વીજ પોલોને પણ નુકસાન થયું હોવાનું પણ ઉર્જા વિભાગે જણાવ્યું છે.


વીજ પુરવઠો સ્થાપિત કરવા PGVCLના પ્રયાસો શરૂ


વાવાઝોડાથી અસરગ્રસ્ત સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ PGVCLની 1200થી વધુ ટીમો કામ કરી રહી છે. વીજ વિભાગ દ્વારા વીજ પુરવઠો રાબેતા મુજબ થાય તે રીતે અલગ અલગ ટીમો બનાવી હાલ કામગીરી કરવામાં આવી રહી છે. હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદના કારણે અનેક સ્થાનોએ પાણી ભરાયા છે. આ જ કારણે નુકસાન થયેલા ફીડરનું રિપેરીંગ કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. જો કે તેમ છતાં PGVCLની ટીમો ભારે વરસાદ અને પવનની વચ્ચે પણ રીપેરીંગ કરી રહ્યા છે.


જામનગર જિલ્લાના ગામડાઓમાં વીજળી ગુલ


વાવાઝોડાથી સૌરાષ્ટ્રમાં PGVCLને સૌથી વધુ નુકસાન થયું છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વીજપોલ ધરાશાયી થયા છે. તેમાં પણ જામનગર જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જામનગર જિલ્લાના 530 ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ હોવાનું સામે આવ્યુ છે. હાલ PGVCLની ટીમો દ્વારા ફોલ્ડ થયેલા વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.