યુવરાજસિંહ પર આક્ષેપ કરનાર બિપીન ત્રિવેદીને કરાયો ડિટેઈન! ડમી કાંડ મામલે થઈ શકે છે મોટા ખુલાસા! શું યુવરાજસિંહ વિરૂદ્ધ પણ થઈ શકે છે કાર્યવાહી?


  • Published By :
  • Published Date : 2023-04-17 10:52:15

છેલ્લા ઘણા સમયથી ડમી ઉમેદવાર કાંડને લઈ સમાચારો સામે આવી રહ્યા છે. ભાવનગર પોલીસે આ મામલે 36 આરોપીઓ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી અને ચાર જેટલા આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારે આ મામલે થોડા દિવસો પહેલા એક મોટો ઘટસ્ફોટ થયો હતો. જે મુજબ નામ ન લેવા માટે યુવરાજસિંહે લાખો રુપિયા છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં બિપિન ત્રિવેદીએ યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે મળતી માહિતી અનુસાર પોલીસે બિપિન ત્રિવેદીને ડિટેન કરી લીધો છે. ત્યારે આવનાર સમયમાં આ મામલે અનેક મોટા ખુલાસા થઈ શકે છે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે. આ મામલે એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે જે આ મામલે તપાસ કરવાની છે. 


બિપીન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો થયો હતો વાયરલ!

સ્પાર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસાડવાનો મોટો ઘટસ્ફોટ યુવરાજસિંહ દ્વારા થોડા સમય પહેલા કરવામાં આવ્યો હતો. જેમાં અનેક પૂરાવા સાથે યુવરાજસિંહના નામ લીધા હતા. આ મામલે ભાવનગર પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે 36 આરોપીઓ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી જ્યારે અનેક આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યારે આ મામલે યુવરાજસિંહ વિરૂદ્ધ બિપિન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે ડમી કાંડમાં નામ ન જાહેર કરવા માટે યુવરાજસિંહે લાખો રૂપિયા છે. 


ડમી ઉમેદવાર બની બેઠેલા સંજય પંડ્યા વિરૂદ્ધ પણ કરાઈ કાર્યવાહી! 

ત્યારે આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે બિપિન ત્રિવેદીને ડિટેઈન કરી દીધો છે અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે બિપિન ત્રિવેદી સરકારી અધિકારી હોવા છતાં પણ કોચિંગ ક્લાસીસ ચલાવતો હતો. ઉપરાંત ડમી કાંડ મામલે વધુ એક સમાચાર પણ સામે આવ્યા છે જેમાં ભાવનગર એસઆઈટીની ટીમ દ્વારા કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાંથી પીએસઆઈની ટ્રેનિંગ લઈ રહેલા સંજય પંડ્યાની અટકાયત કરી લીધી છે. સંજય પંડ્યાએ 2021માં લેવાયેલી બિન સચિવાલયની પરીક્ષામાં અક્ષય નામના ઉમેદવારની જગ્યાએ ડમી ઉમેદવાર બની પરીક્ષા આપી હતી. 


આવનાર દિવસમાં આ મામલે આવી શકે છે મોટા ખુલાસા! 

ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે જો યુવરાજસિંહના નામની સંડોવણી હશે તો યુવરાજસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. બિપીન ત્રિવેદીની પૂછપરછના આધારે યુવરાજસિંહ સામે એફઆઈઆર નોંધવા તજવીજ હાથ ધરાશે. ઉલ્લેખનિય છે કે બિપીન ત્રિવેદીની પૂછપરછ દરમિયાન અનેક બીજા મોટા ખુલાસાઓ સામે આવી શકે છે.     



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે