‘બિપરજોય’એ વિનાશક સ્વરૂપ ધારણ કર્યું, સમુદ્રમાં ઊંચા મોજા ઉછળ્યા, સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ


  • Published By :
  • Published Date : 2023-06-11 16:29:55

વિનાશકારી વાવાઝોડા  ‘બિપરજોય’ અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 15 તારીખે સવારથી બપોર સુધીમાં માંડવી અને કરાંચી  વચ્ચે વાવાઝોડું ટકરાશે. 14 અને 15 જૂન વચ્ચે દરિયો તોફાની બનશે, હવામાન વિભાગ અનુસાર આ સમયે સાયક્લોન અતિ સિવિયર સ્વરૂપમાં ફેરવાશે. હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું 14 જૂન બાદ વાવાઝોડું નોર્થ-નોર્થ ઈસ્ટ તરફ જશે. હાલની સ્થિતિને જોતા કચ્છમાં ટકરાવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે. વાવાઝોડું કચ્છ અને સૌરાષ્ટ્ર અથવા પાકિસ્તાનની વચ્ચે ટકરાશે. આ દરમિયાન એટલે કે,14થી 15 જૂનની વચ્ચે સમગ્ર દરિયો કિનારો ભારે તોફાની બની શકે છે તેમજ પવની ગતિ પણ પણ તીવ્ર રહેશે. આ સ્થિતિના કારણે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે યેલો  એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


સૌરાષ્ટ્રના તમામ પોર્ટ પર  4 નંબરનું ભયસુચક સિગ્નલ 


બિપોરજોયએ અતિ વિનાશક વાવાઝોડામાંથી મહા વિનાશક રૂપ ધારણ કર્યું છે. આ ચક્રવાત સતત શક્તિશાળી બની રહ્યું છે. જોકે ગુજરાત પર બિપોરજોય ત્રાટકે તેવી શક્યતા ઓછી છે પરંતુ તેની સંભવિત અસરને અવગણી શકાય તેમ નથી. જેને લઇને હવામાન વિભાગ (IMD) સતત બિપોરજોયની હલચલ પર નજર રાખી રહ્યું છે અને દરિયાકાંઠાના વિસ્તારમાં તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. 11 જૂનના સવારે 8.30 વાગ્યાની સ્થિતિ અનુસાર હાલ આ મહાવિનાશક વાવાઝોડું પોરબંદરથી 450 કિ.મી. દૂર છે અને 15 જૂનના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે અતિ વિનાશક વાવાઝોડું પસાર થઇ શકે છે. સૌરાષ્ટ્રના તમામ પોર્ટ પર 4 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે.


ક્યા થશે ભારે વરસાદ? 


વાવાઝોડાના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં તારીખ 11, 12, 13 અને 14 જૂને અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આજ રોજ ગીર સોમનાથમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા અનેક આ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વાવાઝોડાની અસરના કારણે 14 જૂને મોરબી, રાજકોટ, પોરબંદર, જામનગર, કચ્છ, દ્રારકામાં ભારે વરસાદ થઈ શકે છે. વાવાઝોડા પહેલા પોરબંદર અને વેરાવળમાં  હાલ પવનની ગતિ વધી ગઇ છે. પોરબંદરમાં દરિયામાં ભરતી અને ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે કરંટ હોવાથી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.


શાળા પ્રવેશત્સવ મોકૂફ


વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં યોજનાર 6 શાળાત્સવ મોકૂફ રાખવામાં આવ્યા છે,. 6 જિલ્લામાં  યોજનાર શાળા મહોત્સવ મોકૂફ રાખાવનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્રારકા, પોરબંદરમોરબી, કચ્છ, જામનગર ,જૂનાગઢના શાળા પ્રવેશ મહોત્સવ  હાલ પૂરતા મોકૂફ રાખવાામાં આવ્યાં છે.


વાવાઝોડાના પગલે જિલ્લા તંત્ર એલર્ટ


વાવાઝડોના પગલે આજે સાંજ સુધીમાં દ્વારકામાં એસડીઆરએફની ટીમ પહોંચી જશે. તો દરિયાકાંઠેના વિસ્તાર રૂપેણ બંદર વિસ્તારમાં થી  2500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.કચ્છમાં વાવાઝોડુ  ટકરાવાના અનુમાન બાદ ભયાનક વાવાઝોડાનો સામનો કરવા કચ્છ પ્રશાસન એલર્ટ બન્યું છે. તમામ બોટને કિનારાથી દૂર લંગારવાની કાર્યવાહી હાથ ધરવામા આવી છે તેમજ એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે.


CM ભૂપેન્દ્ર પટેલે યોજી બેઠક


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્ય ના દરિયા કાંઠા વિસ્તારના જિલ્લાઓ ની સંભવિત વાવાઝોડા સામેની તૈયારીઓ અંગે આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વીડિયો કોન્ફરન્સથી કલેકટરો સમીક્ષા બેઠક યોજી. તેમણે કલેકટરોને પરિસ્થિતિને પહોંચી વળવા સજજ રહેવા આદેશ કર્યો. આ બેઠકમાં મુખ્ય સચિવ અને રાહત કમિશ્નર પણ જોડાયા હતા.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!