બિપોરજોય વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું, ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2023-06-16 14:27:02

ગુજરાત પર ત્રાટકેલી બિપોરજોય વાવાઝોડા રૂપી આફત જખૌ નજીક મોડી રાત્રે ટકરાયા બાદ અંતે પસાર થઈ ગઈ છે, જો કે વાવાઝોડાની આફત બાદ હવામાન ખાતા દ્વારા સૌપ્રથમ રાહતના સમાચાર આપ્યા છે.  હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ વાવાઝોડાની સ્થિતિને લઈને આજે સવારે જાણકારી આપી હતી. હાલમાં વાવાઝોડું જખૌથી 70 કિલોમીટર દૂર પહોંચ્યું છે અને રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, બિપોરજોય વાવાઝોડું 115 થી 125 કિમીની ઝડપે ગુજરાતના કાંઠે જખૌની ઉપર ટકરાયું હતું. વાવાઝોડું મોડી રાત્રે 10.30 થી 11.30 વચ્ચે કચ્છમાં ટકરાયું હતું. હાલમાં વાવાઝોડાની ગતિમાં પરિવર્તન થયું છે. બપોર સુધીમાં નબળું પડશે અને સાંજ સુધીમાં ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. હાલમાં સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જે હજુ પણ બે દિવસ સુધી ચાલું જ રહેશે. મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે જ કચ્છ, બનાસકાંઠા, પાટણ અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.


વાવાઝોડાની ગતિ ઘટી

 

હવામાન વિભાગના ડો. મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે હાલમાં હવાની ગતિ 85 થી 90 કિમી છે. આગામી 2-3 કલાકમાં ગતિ ઘટીને 75થી 80 થશે, તે પછીના બીજા 3 કલાક ઘટીને 65થી 75 કિમી થવાની સંભાવના છે. હાલમાં ભારે વરસાદની આગાહી ગુજરાત માટે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં જે 9 નંબરનું સિગ્નલ હતું તેને ઘટાડીને 3 નંબરનું કરવા માટે સલાહ આપવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં થયો ભારે વરસાદ થયો છે, છેલ્લા 24 કલામાં ગાંધીધામમાં સૌથી વધુ 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મુંદ્રામાં 4 ઈંચ, ખંભાળિયા અને અંજારમાં સવા 3 ઈંચ, જામજોધપુર અને વાવમાં પોણા 3 ઈંચ, ભચાઉમાં 2.5 ઈંચ, માંડવી અને કલ્યાણપુરમાં સવા 2 ઈંચ, દ્વારાકામાં સવા 2 ઈંચ, ભાવનગરમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજ્યના 34 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.


આજે આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ


હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાં હજુ પણ 19મી જૂન સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં આજે 16મી જૂને કચ્છ-સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તથા મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે આવતીકાલે 17મી જૂને ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. 18મી જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલાસડમાં વરસાદ પડી શકે છે. તો 19મી જૂને નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!