બિપોરજોય વાવાઝોડુંનો સામનો કરવા સેના તૈયાર, આર્મીની 3 બટાલિયન સ્ટેન્ડ બાય કરાઈ


  • Published By :
  • Published Date : 2023-06-13 19:29:30

ઝંઝાવાતી બિપોરજોય વાવાઝોડું ગુજરાતના સમુદ્રકાંઠા પર ત્રાટકવાનું છે, સૌરાષ્ટ્ર અને કચ્છના બંદરો પર સૌથી વધુ જોખમ છે. કચ્છના જખૌમાં ત્રાટકવાનું હોવાથી અહીં સુરક્ષા-વ્યવસ્થામાં સુદ્રઢ બનાવવા પર પૂરતું ધ્યાન રખાઈ રહ્યું છે. વાવાઝોડાના ભયાનકતા જોતા કચ્છમાં મિલિટ્રી કેમ્પ સેનાની 3 બટાલિયન સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. સેનાની આ બટાલિયનો કોઈ પણ પ્રકારના રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડવા માટે સજ્જ છે. સેનાના જવાનો રાહત અને બચાવકાર્યની સામગ્રી સાથે વાવાઝોડા સામે પહોંચી વળવા તૈયાર છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ કચ્છમાં આર્મી બેઝ કેમ્પની મુલાકાત લીધી હતી. તેમણે બિપોરજોય વાવાઝોડાની તૈયારીઓને જોતા સેનાની તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતું. 


કચ્છમાં 6,730 લોકોનું સ્થળાંતર


બિપોરજોય વાવાઝોડાથી લોકોને બચાવવાના ભાગરૂપે કચ્છમાં કુલ 6,730 લોકોનું સ્થળાંતર કરાયું છે. 4,509 અગરીયાઓને સલામત સ્થળે ખસેડાયા છે. દરિયાકાંઠે વસતા 2,221 લોકોનું 120 સ્થળોએ સ્થળાંતર કર્વમાં આવ્યું છે. આ સાથે 187 શેલ્ટર હોમ તૈયાર કરાયા છે. મેડીકલ કીટ સહિતની 1 લાખ ફુડ પેકેટની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. જિલ્લાભરમાં કુલ 48 સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ રાહત કામગીરીમાં જોડાઈ છે. વાવાઝોડા દરમ્યાન PHC, CHC સેન્ટરો પણ કાર્યરત રહેશે.


2 હજારથી વધુ પોલીસકર્મી તૈનાત


કચ્છના સ્થાનિક વહીવટીતંત્રના જણઆવ્યા પ્રમાણે કચ્છના નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવવામાં આવી રહ્યા છે. આશ્રયસ્થાનોમાં ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભુજ પશ્ચિમના એસપી, ડો. કરણરાજ વાઘેલાના જણાવ્યા પ્રમાણે 2 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને 1400થી વધુ હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે અને અમે તમામ બીચ બંધ કરી દીધા છે. 



કચ્છમાં 6,730 લોકોનું સ્થળાંતર


બિપોરજોય વાવાઝોડાથી લોકોને બચાવવાના ભાગરૂપે કચ્છમાં કુલ 6,730 લોકોનું સ્થળાંતર કરાયું છે. 4,509 અગરીયાઓને સલામત સ્થળે ખસેડાયા છે. દરિયાકાંઠે વસતા 2,221 લોકોનું 120 સ્થળોએ સ્થળાંતર કર્વમાં આવ્યું છે. આ સાથે 187 શેલ્ટર હોમ તૈયાર કરાયા છે. મેડીકલ કીટ સહિતની 1 લાખ ફુડ પેકેટની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. જિલ્લાભરમાં કુલ 48 સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ રાહત કામગીરીમાં જોડાઈ છે. વાવાઝોડા દરમ્યાન PHC, CHC સેન્ટરો પણ કાર્યરત રહેશે.


પશ્ચિમ રેલવેએ 69 ટ્રેનો કરી રદ 


ભયાનક ચક્રવાત બિપોરજોયના કારણે  મુસાફરોની સલામતી અને ટ્રેન સંચાલનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મહત્વનો નિર્ણય કર્યો છે.પશ્ચિમ રેલવેના CPROના જણાવ્યા પ્રમાણે 69 ટ્રેનો રદ કરવામાં આવી છે, 32 ટ્રેનો ટૂંકા સમય માટે બંધ કરવામાં આવી છે જ્યારે 26 ટ્રેનો શોર્ટ-ઓરજિનેટ કરવામાં આવી છે.




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!