ચક્રવાતનો ટ્રેન્ડ બદલાયો, અરબ સાગર બન્યો વાવાઝોડાનું હોટ સ્પોટ, બે દાયકામાં રાજ્ય પર કેટલા વાવાઝોડા ત્રાટક્યા? જાણો


  • Published By :
  • Published Date : 2023-06-12 19:11:11

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર છે. જો કે આ સ્થિતીમાં હવામાન નિષ્ણાતો એક મહત્વના સવાલ પર ચિંતન કરી રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અરબ સાગર વાવાઝોડાનું હોટ સ્પોટ બન્યો છે. સંસોધનો મુજબ છેલ્લા બે દાયકામાં વાવાઝોડાના આવર્તનમાં 52 ટકાનો વધારો થયો છે. એક સમય હતો જ્યારે બંગાળની ખાડીમાં ચક્રવાતો વધુ જોવા મળતા હતા પરંતું છેલ્લા બે દાયકામાં ચક્રવાતનો ટ્રેન્ડ બદલાયો છે.


શા માટે વધી રહ્યા છે વાવાઝોડા?


હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સમુદ્રની સપાટીના તાપમાનમાં વધારો થતાં વાવાઝોડા વધી રહ્યા છે. દરિયાઈ સપાટીના તાપમાનમાં સરેરાશ વર્ષે 10.1 મી.લિ ડિગ્રીનો વધારો થઈ રહ્યો છે. જે ચિંતાજનક બાબત છે, વળી આ પ્રવૃતિ વાર્ષિક બની ગઈ હોય તેમ લાગે છે. સમુદ્રની સુપાટીના તાપમાનમાં એકથી બે ડિગ્રીના વધારાથી વાવાઝોડાંના આવર્તનમાં વધારો જોવા મળે છે. ગ્લોબલ વોર્મિગના કારણે આ સ્થિતી વધુ ખતરનાક બની છે.


ગુજરાત પર કેટલા વાવાઝોડા ત્રાટક્યા?


નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વર્ષ 1975થી 2000 દરમિયાન ગુજરાત પર 7 જેટલા ચક્રવાતો ત્રાટક્યા હતા. જે સંખ્યા વર્ષ 2021થી 2023ના સમયગાળમાં વધીને 20 જેટલી થઈ છે. આ તમામ વાવાઝોડામાં સૌથી ભયાનક વર્ષ 2004-ઓનિલ, 2006-મડકા, 2010-ફેટ, 2014- નિલોફર, 2015-ચાપલા અને મેઘ, 2019 વાયુ અને ફાની, વર્ષ 2020 -નિસર્ગ, વર્ષ 2021 તોક્તે અને વર્ષ 2023માં બિપોરજોય વાવાઝોડાનો સમાવેશ થાય છે.


આ જિલ્લા વાવાઝોડા માટે સંવેદનશીલ 


ગુજરાતના સમુદ્ર કિનારાના જિલ્લા વાવાઝોડા માટે સૌથી સંવેદનશીલ મનાય છે. આ જિલ્લાઓમાં કચ્છ, પોરબંદર, વેરાવળ, દિવ, ગીર સોમનાથ, અમરેલી, સુરત, વલસાડ, રાજકોટ, ભરૂચ, મોરબી, નવસારી, જામનગરનો સમાવેશ થાય છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે