ચક્રવાતનો ટ્રેન્ડ બદલાયો, અરબ સાગર બન્યો વાવાઝોડાનું હોટ સ્પોટ, બે દાયકામાં રાજ્ય પર કેટલા વાવાઝોડા ત્રાટક્યા? જાણો


  • Published By :
  • Published Date : 2023-06-12 19:11:11

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર છે. જો કે આ સ્થિતીમાં હવામાન નિષ્ણાતો એક મહત્વના સવાલ પર ચિંતન કરી રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અરબ સાગર વાવાઝોડાનું હોટ સ્પોટ બન્યો છે. સંસોધનો મુજબ છેલ્લા બે દાયકામાં વાવાઝોડાના આવર્તનમાં 52 ટકાનો વધારો થયો છે. એક સમય હતો જ્યારે બંગાળની ખાડીમાં ચક્રવાતો વધુ જોવા મળતા હતા પરંતું છેલ્લા બે દાયકામાં ચક્રવાતનો ટ્રેન્ડ બદલાયો છે.


શા માટે વધી રહ્યા છે વાવાઝોડા?


હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સમુદ્રની સપાટીના તાપમાનમાં વધારો થતાં વાવાઝોડા વધી રહ્યા છે. દરિયાઈ સપાટીના તાપમાનમાં સરેરાશ વર્ષે 10.1 મી.લિ ડિગ્રીનો વધારો થઈ રહ્યો છે. જે ચિંતાજનક બાબત છે, વળી આ પ્રવૃતિ વાર્ષિક બની ગઈ હોય તેમ લાગે છે. સમુદ્રની સુપાટીના તાપમાનમાં એકથી બે ડિગ્રીના વધારાથી વાવાઝોડાંના આવર્તનમાં વધારો જોવા મળે છે. ગ્લોબલ વોર્મિગના કારણે આ સ્થિતી વધુ ખતરનાક બની છે.


ગુજરાત પર કેટલા વાવાઝોડા ત્રાટક્યા?


નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વર્ષ 1975થી 2000 દરમિયાન ગુજરાત પર 7 જેટલા ચક્રવાતો ત્રાટક્યા હતા. જે સંખ્યા વર્ષ 2021થી 2023ના સમયગાળમાં વધીને 20 જેટલી થઈ છે. આ તમામ વાવાઝોડામાં સૌથી ભયાનક વર્ષ 2004-ઓનિલ, 2006-મડકા, 2010-ફેટ, 2014- નિલોફર, 2015-ચાપલા અને મેઘ, 2019 વાયુ અને ફાની, વર્ષ 2020 -નિસર્ગ, વર્ષ 2021 તોક્તે અને વર્ષ 2023માં બિપોરજોય વાવાઝોડાનો સમાવેશ થાય છે.


આ જિલ્લા વાવાઝોડા માટે સંવેદનશીલ 


ગુજરાતના સમુદ્ર કિનારાના જિલ્લા વાવાઝોડા માટે સૌથી સંવેદનશીલ મનાય છે. આ જિલ્લાઓમાં કચ્છ, પોરબંદર, વેરાવળ, દિવ, ગીર સોમનાથ, અમરેલી, સુરત, વલસાડ, રાજકોટ, ભરૂચ, મોરબી, નવસારી, જામનગરનો સમાવેશ થાય છે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.