બિંદેશ્વર પાઠકે સ્વતંત્રતા દિને તિરંગો ફરકાવી લીધો અંતિમ શ્વાસ, જાણો તેમના અમૂલ્ય યોગદાન વિશે


  • Published By :
  • Published Date : 2023-08-15 18:31:39

દુનિયાભરમાં શૌચાલયનું મહત્વ સમજાવનારા અને કરોડો લોકોનું જીવન આસાન બનાવનારા બિંદેશ્વર પાઠકનું આજે નિધન થયું છે. 80 વર્ષીય બિંદેશ્વર પાઠકે સ્વતંત્રતા દિને સવારે રાષ્ટ્રિય ધ્વજ ફરકાવ્યો અને તરત જ ઢળી પડ્તા તેમને દિલ્હી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે એઈમ્સના તબીબોએ બપોરે 1.42 વાગ્યે તેમને મૃત જાહેર કર્યા હતા. હ્રદયના ધબકારા બંધ થવાના કારણે તેમનું મૃત્યુ થયું હતું. આજે તમે દેશના તમામ શહેરોમાં જે સુલભ શૌચાલય જુઓ છો તે બિંદેશ્વર પાઠકની દેણ છે. તેમણે સુલભ શૌચાલયને એક ઈન્ટરનેશનલ બ્રાંડ બનાવી દીધી છે. પાઠકે જ સુલભ શૌચાલયની શરૂઆત કરી હતી. બિહારના વૈશાલી જિલ્લાના એક ગામમાં 2 એપ્રિલ 1943ના રોજ પાઠકનો જન્મ થયો હતો.


9 ઓરડાના ઘરમાં એક પણ શૌચાલય નહીં


બિંદેશ્વર પાઠક એક એવા ઘરમાં ઉછર્યા હતા જેમાં 9 ઓરડા હતા પરંતુ એક પણ શૌચાલય નહોંતું. ઘરની મહિલાઓ સવારે વહેલા ઉઠીને બહાર જતી હતી. કારણ કે દિવસે બહાર શૌચ કરવું મુશ્કેલ હતું. આ જ કારણે તેઓ અનેક સમસ્યાઓ અને બીમારીઓથી પિડાતી હતી, આ બાબતે પાઠકને વિચલિત કરી દીધા હતા. તેઓ આ સમસ્યાનું નિવારણ કરવા માગતા હતા. તેમણે સ્વચ્છતાના ક્ષેત્રે કાંઈક નવું કરવાનો નિર્ધાર કર્યો અને દેશમાં મોટા પરિવર્તનની દિશામાં આગળ વધ્યા.


મેંલુ ઉપાડવા અને ખુલ્લામાં શૌચની સમસ્યાનું નિવારણ


બિંદેશ્વર પાઠકે બિહાર અને ઉત્તર પ્રદેશમાંથી શિક્ષણ મેળવ્યું હતું. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રમાં સ્નાતક થયા હતા. આ પછી તેમણે પટના યુનિવર્સિટીમાંથી માસ્ટર અને પીએચડી કર્યું હતું. તેમણે વર્ષ 1968-69માં બિહાર ગાંધી જન્મ શતાબ્દી સમારોહ સમિતિ સાથે કામ કર્યું હતું. આ સમિતિએ જ તેમને સસ્તું શૌચાલય ટેક્નોલોજી વિકસાવવા પર કામ કરવા જણાવ્યું હતું. તે સમયે ઉચ્ચ જાતિના પોસ્ટ ગ્રેજ્યુએટ છોકરા માટે શૌચાલય ક્ષેત્રમાં કામ કરવું સરળ નહોતું. પરંતુ તેમણે ક્યારેય પીછેહઠ ન કરી. તેમણે જાતે સફાઈ અને ખુલ્લામાં શૌચ કરવાની સમસ્યા પર કામ કર્યું.


સસરા ખૂબ ગુસ્સે થયા હતા


બિંદેશ્વર પાઠક દેશને શૌચ મુક્ત બનાવવાની દિશામાં સતત કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના પિતા ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. તે જ રીતે તેમના સગા સંબંધીઓ અને પરિચિત લોકો પણ તેમના પર ગુસ્સે થયા હતા. પાઠકના સસરા શૌચાલયવાળાના કામથી ખૂબ નારાજ હતા. તેમણે પાઠકને ત્યાં સુધી કહ્યું હતું કે તેઓ ક્યારેય તેમનો ચહેરો ન બતાવે. તેઓ કહેતા હતા કે તેમની દીકરીની જિંદગી તેમણે બરબાદ કરી નાખી છે. આ બધી બાબતોના જવાબમાં પાઠક માત્ર એક જ વાત કહેતા હતા કે તેઓ ગાંધીજીનું સ્વપ્ન સાકાર કરી રહ્યા છે.


બનાવ્યું ડિસ્પોઝલ કમ્પોસ્ટ શૌચાલય 


આ પછી, વર્ષ 1970 માં, બિંદેશ્વર પાઠકે સુલભ ઇન્ટરનેશનલની સ્થાપના કરી, તે એક સામાજિક સંસ્થા હતી. સુલભ ઇન્ટરનેશનલમાં, તેમણે બે ખાડાવાળું ફ્લશ ટોઇલેટ વિકસાવ્યું હતું. તેમણે ડિસ્પોઝલ કમ્પોસ્ટ શૌચાલયની શોધ કરી. તે ઓછા ખર્ચે ઘરની આસપાસ જોવા મળતી સામગ્રીમાંથી બનાવી શકાય છે. પછી તેમણે દેશભરમાં સુલભ શૌચાલય બનાવવાનું શરૂ કર્યું. પાઠકને તેમના આ અમૂલ્ય યોગદાન માટે ભારત સરકાર તરફથી પદ્મ ભૂષણ એવોર્ડ મળ્યો હતો.


PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું


પીએમ મોદીએ પણ બિંદેશ્વર પાઠકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે, તેમણે ટ્વીટ કરતા લખ્યું " ડો. બિંદેશ્વર પાઠકજીનું અવસાન આપણા દેશમાં મોટી ખોટ છે, તે એક દુરંદેશી વ્યક્તિ હતા, તેમણે સામાજીક પ્રગતિ અને વંચિતોને સશક્ત બનાવવા માટે મોટા પ્રમાણમાં કામ કર્યું છે. 



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.