બિલ્કીસ બાનો પહોંચી સુપ્રીમ કોર્ટ, 11 બળાત્કારીઓની જેલ મુક્તીને પડકારી


  • Published By :
  • Published Date : 2022-11-30 14:24:59

બિલ્કીસ બાનોએ 2002ના ગોધરા રમખાણો દરમિયાન ગેંગરેપ અને પરિવારના સભ્યોની હત્યાના દોષિત 11 દોષિતોની અકાળે મુક્તિને પડકારતી સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરી છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યો છે. આ દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે તેઓ આ મુદ્દાની તપાસ કરશે કે શું બંને અરજીઓની સુનાવણી એકસાથે થઈ શકે છે અને શું તેમની એક જ બેંચ સમક્ષ સુનાવણી થઈ શકે છે?


આ પહેલા પણ બે અરજી દાખલ 


બિલ્કીસ બાનો કેસમાં બે અરજીઓ દાખલ થઈ ચૂકી છે. મુખ્ય અરજી બાદ 21 ઓક્ટોબરે એક મહિલા સંગઠન વતી અરજી પણ દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે આ અરજીને મુખ્ય પિટિશન સાથે જોડી દીધી હતી. બંને અરજીની સુનાવણી એકસાથે થશે. સુપ્રીમ કોર્ટ પહેલાથી જ 'નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન વુમન' દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી છે. તે સજાની માફીને અને કેસમાં દોષિતોને નિર્દોષ જાહેર કરવાને પડકારે છે.


સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારમાં શું જવાબ આપ્યો 


સુપ્રીમ કોર્ટે 18 ઓક્ટોબરે કહ્યું હતું કે સજા માફીને પડકારતી અરજીઓ પર ગુજરાત સરકારનો પ્રતિભાવ ખૂબ જ જબરજસ્ત હતો. તે અનેક ચુકાદાઓને ટાંકે છે, પરંતુ તેમાં હકીકતલક્ષી નિવેદનો ખૂટે છે. ત્યાર પછી સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકાર દ્વારા દાખલ કરાયેલી એફિડેવિટનો જવાબ દાખલ કરવા માટે અરજદારોને સમય આપતાં આ મામલાની વધુ સુનાવણી 29 નવેમ્બરે નિયત કરી હતી.



જાણો શું છે મામલો?


અત્રે ઉલ્લેખનિય છે કે, આ કેસ 2002માં ગોધરાકાંડ બાદ થયેલા ગુજરાત રમખાણો સાથે સંબંધિત છે. ત્યારે બિલ્કીસ બાનો 21 વર્ષની અને પાંચ મહિનાની ગર્ભવતી હતી. રમખાણો વખતે જીવ બચાવીને ભાગતી બિલ્કીસ પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. મૃતકોમાં તેમની ત્રણ વર્ષની પુત્રીનો પણ સમાવેશ થાય છે.


11 દોષિતો જેલમુક્ત


ગુજરાત સરકારનું કહેવું છે કે તેણે તેની માફી નીતિ મુજબ 11 દોષિતોને જેલમુક્તી આપી છે. આ દોષિતોને આ વર્ષે 15 ઓગસ્ટના રોજ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ગોધરા સબ-જેલમાં 15 વર્ષથી વધુ સમયની સજા ભોગવ્યા બાદ દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.