બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારનું સુપ્રીમમાં સોગંધનામું, દોષિતોને મુક્ત કરવા અંગે મોટા ખુલાસા કર્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 13:45:39

બિલકિસ બાનો કેસમાં 11 દોષિતોને મુક્ત કરવાના નિર્ણય અંગે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંધનામુ દાખલ કર્યું છે. રાજ્ય સરકારે પોતાના નિર્ણયના બચાવમાં કહ્યું કે 11 દોષિતોએ જેલમાં 14 વર્ષની સજા પુરી કરી હોવાથી અને તેમનો વ્યવહાર સારો હોવાથી તેમને મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વળી રાજ્ય સરકારેએ તેની ભલામણ કેન્દ્રને સુપરત કરી હતી, કેન્દ્રએ 11 જુલાઈ 2022ના પત્ર દ્વારા 11 કેદીઓને સમય પહેલા મુક્ત કરવા માટે તેની સંમતિ પણ આપી હતી. જો કે આ સોગંદનામામાં રાજ્ય સરકારે એમ પણ કહ્યું છે કે, સીબીઆઈની સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચ (મુંબઈ) અને સીબીઆઈની સ્પેશિયલ સિવિલ જજ અને સેશન્સ કોર્ટ (ગ્રેટર બોમ્બે)ના પોલીસ અધિક્ષકે ગયા વર્ષે માર્ચમાં આરોપીઓની વહેલી મુક્તિનો વિરોધ કર્યો હતો.


રાજ્ય સરકારના વકીલે શું દલીલ કરી?


રાજ્ય સરકારના વકીલે દલીલ કરી કે આ કેસમાં ત્રીજી પાર્ટી  કોઈ કેસ દાખલ કરી શકતી નથી. ગુજરાત સરકારે કહ્યું કે આ કેસમાં સુભાષિણી અલીને કોઈ લેવા દેવા નથી. તેમની અરજી રાજનિતીથી પ્રેરીત છે.  તે એક ષડયંત્ર છે જો કે આ કેસમાં ફરી એક વખત સુનાવણી થશે. 


ગુજરાત સરકારે અરજીકર્તા (સુભાષિની અલી, મહુઆ મિત્રા) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સવાલ ઉઠાવ્યા હતા. સરકારે પોતાના સોગંધનામામાં કહ્યું કે ક્ષમાદાનને પડકારવું તે જનહિતની અરજી (PIL)ના અધિકાર ક્ષેત્રમાં આવતું નથી. તે અધિકારોનો દુરપયોગ છે. આ દોષિતોના વ્યવહાર પર પણ વિચાર કરવામાં આવ્યો હતો.


બિલકિસ બાનો કેસ શું છે? 


ગોધરા કાંડ બાદ ગુજરાતમાં થયેલા રમખાણો દરમિયાન બિલકિસ  પર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રંધિકપુર ગામમાં 3 માર્ચ 2002ના રોજ ટોળાએ ગેંગરેપ કરવામાં આવ્યો હતો. તે સમયે બિલકિસ ગર્ભવતી હતી. ગુજરાત સરકારે 15 ઓગસ્ટે આ કેસમાં તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા જેમને 2008માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જેલ એડવાઈઝરી કમિટી (JAC)ની સર્વસંમતિથી ભલામણને ટાંકીને સારા વર્તનના આધાર પર તેમને મુક્તિની ભલામણ કરવામાં આવી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.