બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારનું સુપ્રીમમાં સોગંધનામું, દોષિતોને મુક્ત કરવા અંગે મોટા ખુલાસા કર્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 13:45:39

બિલકિસ બાનો કેસમાં 11 દોષિતોને મુક્ત કરવાના નિર્ણય અંગે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંધનામુ દાખલ કર્યું છે. રાજ્ય સરકારે પોતાના નિર્ણયના બચાવમાં કહ્યું કે 11 દોષિતોએ જેલમાં 14 વર્ષની સજા પુરી કરી હોવાથી અને તેમનો વ્યવહાર સારો હોવાથી તેમને મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વળી રાજ્ય સરકારેએ તેની ભલામણ કેન્દ્રને સુપરત કરી હતી, કેન્દ્રએ 11 જુલાઈ 2022ના પત્ર દ્વારા 11 કેદીઓને સમય પહેલા મુક્ત કરવા માટે તેની સંમતિ પણ આપી હતી. જો કે આ સોગંદનામામાં રાજ્ય સરકારે એમ પણ કહ્યું છે કે, સીબીઆઈની સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચ (મુંબઈ) અને સીબીઆઈની સ્પેશિયલ સિવિલ જજ અને સેશન્સ કોર્ટ (ગ્રેટર બોમ્બે)ના પોલીસ અધિક્ષકે ગયા વર્ષે માર્ચમાં આરોપીઓની વહેલી મુક્તિનો વિરોધ કર્યો હતો.


રાજ્ય સરકારના વકીલે શું દલીલ કરી?


રાજ્ય સરકારના વકીલે દલીલ કરી કે આ કેસમાં ત્રીજી પાર્ટી  કોઈ કેસ દાખલ કરી શકતી નથી. ગુજરાત સરકારે કહ્યું કે આ કેસમાં સુભાષિણી અલીને કોઈ લેવા દેવા નથી. તેમની અરજી રાજનિતીથી પ્રેરીત છે.  તે એક ષડયંત્ર છે જો કે આ કેસમાં ફરી એક વખત સુનાવણી થશે. 


ગુજરાત સરકારે અરજીકર્તા (સુભાષિની અલી, મહુઆ મિત્રા) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સવાલ ઉઠાવ્યા હતા. સરકારે પોતાના સોગંધનામામાં કહ્યું કે ક્ષમાદાનને પડકારવું તે જનહિતની અરજી (PIL)ના અધિકાર ક્ષેત્રમાં આવતું નથી. તે અધિકારોનો દુરપયોગ છે. આ દોષિતોના વ્યવહાર પર પણ વિચાર કરવામાં આવ્યો હતો.


બિલકિસ બાનો કેસ શું છે? 


ગોધરા કાંડ બાદ ગુજરાતમાં થયેલા રમખાણો દરમિયાન બિલકિસ  પર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રંધિકપુર ગામમાં 3 માર્ચ 2002ના રોજ ટોળાએ ગેંગરેપ કરવામાં આવ્યો હતો. તે સમયે બિલકિસ ગર્ભવતી હતી. ગુજરાત સરકારે 15 ઓગસ્ટે આ કેસમાં તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા જેમને 2008માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જેલ એડવાઈઝરી કમિટી (JAC)ની સર્વસંમતિથી ભલામણને ટાંકીને સારા વર્તનના આધાર પર તેમને મુક્તિની ભલામણ કરવામાં આવી હતી.



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.