Bikaner Rajasthan - ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત, ઘટનાસ્થળ પર થયા આટલા લોકોના મોત...


  • Published By :
  • Published Date : 2024-02-16 12:06:32

પ્રતિદિન અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. અકસ્માતમાં અનેક પરિવારો વેરવિખેર થયા છે. અકસ્માતને કારણે અનેક લોકોના મોત થઈ ગયા છે. ગઈકાલે પાટણ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના મોત થઈ ગયા હતા જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારે ફરી એક ભયંકર અકસ્માત ગુજરાતી પરિવારને નડ્યો છે રાજસ્થાનના બિકાનેરમાં... મળતી માહિતી અનુસાર ટ્રક તેમજ ગાડી વચ્ચે ટક્કર થઈ હતી અને ગાડીના કૂચેકૂચા નીકળી ગયા હતા. ઘટનાસ્થળ પર પાંચ લોકોના મોત થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે.

રાજસ્થાનના બિકાનેરમાં સર્જાયો ગંભીર અકસ્માત  

અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન અકસ્માતમાં અનેક લોકોના મોત થતા હોય છે અને અનેક લોકો ઘાયલ થતા હોય છે. અકસ્માત પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. કોઈ વખત ઓવરસ્પીડને કારણે તો કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેવાને અથવા તો અન્ય કારણોસર અકસ્માત સર્જાતા હોય છે. પ્રતિદિન અકસ્માતોના સમાચાર સામે આવી રહ્યા છે. ઘરેથી નીકળેલો વ્યક્તિ પાછો સહિ-સલામત ઘરે આવશે કે નહીં તેનો ડર હવે સતાવતો હોય છે. ગઈકાલે જ ગુજરાતમાં એક હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં ત્રણ લોકો કાળનો કોળિયો બન્યા હતા. ત્યારે આજે ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો છે. રાજસ્થાનના બિકાનેરમાં ગુજરાતી પરિવારનો એવો ભયંકર અકસ્માત થયો કે ઘટનાસ્થળ પર પાંચ લોકોના મોત થઈ ગયા છે.    


અકસ્માતમાં થયા પાંચ લોકોના મોત 

મળતી માહિતી અનુસાર રાજસ્થાનમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર આ અકસ્માત સર્જાયો છે. કાર અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થતા પાંચ લોકોના મોત થઈ ગયા છે. આ ટક્કર એવી ભયંકર હતી કે કારનો ભુક્કો બોલી ગયો હતો. મૃતકોમાં બે મહિલા, બે પુરૂષોનો તેમજ એક છોકરીનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે