રામચરિત માનસ અંગે બિહારના શિક્ષણમંત્રીએ આપ્યું વિવાદિત નિવેદન, સાધુઓ આપી રહ્યા છે પ્રતિક્રયા


  • Published By :
  • Published Date : 2023-01-12 17:02:19

બિહારના શિક્ષણમંત્રીએ રામ ચરિત માનસને લઈ એક નિવેદન આપ્યું હતું જેને કારણે વિવાદ છેડાઈ ગયો છે. શિક્ષણમંત્રીએ રામચરિત માનસને નફરત ફેલાવવાળો ગ્રંથ ગણાવી દીધો છે. આ વિવાદને કારણે સંતો ભડકી ઉઠ્યા છે. અયોધ્યાના મહંતે આ અંગે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.


શિક્ષણમંત્રીના નિવેદન બાદ થયો વિવાદ 

નાલંદા યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહ દરમિયાન નિવેદન આપતા કહ્યું હતું મનુસ્મુતિને કેમ સળગાવી દેવામાં આવ્યા કારણ કે , તેમાં એક વર્ગ માટે અપશબ્દ લખવામાં આવ્યા હતા. રામચરિત માનસનો વિરોધ કેમ કરવામાં આવ્યો અને કયા ભાગનો વિરોધ કરવામાં આવ્યો. 


સંતો આ અંગે આપી રહ્યા છે પ્રતિક્રિયા  

આ નિવેદનને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. આ નિવેદનને લઈ અનેક ધર્મગુરૂઓએ વિરોધ કર્યો હતો. અયોધ્યાના મહંત જગદ્ ગુરૂ પરમહંસ આચાર્યે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે બિહારના શિક્ષણમંત્રીએ જે રીતે રામચરિત માનસને નફરત ફેલવાતો ગ્રંથ ગણાવ્યો છે તેનાથી પૂરો દેશ આઘાતમાં છે. શિક્ષણ મંત્રીને પદ પરથી હટાવવા જોઈએ ઉપરાંત તેમણે માફી પણ માગવી જોઈએ.

     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.