લોકસભા ચૂંટણી પહેલા Bihar CM Nitish Kumar રાજ્યપાલને અચાનક મળવા પહોંચ્યા, રાજકારણ ગરમાયું!


  • Published By :
  • Published Date : 2024-01-23 13:29:59

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. એક તરફ ઈન્ડિયા ગઠબંધન છે તો બીજી તરફ ભાજપ છે. આ બધા વચ્ચે રાજકારણ ગરમાયું છે કારણ કે લોકસભા ચૂંટણી પહેલા બિહારના મુખ્યમંત્રી અચાનક રાજભવન રાજ્યપાલ રાજેન્દ્ર અરણેંકરને મળવા પહોંચ્યા હતા. નીતિશ કુમારની સાથે મંત્રી વિજય ચૌધરી પણ હાજર હતા. ચૂંટણી પહેલા આ મુલાકાતને કારણે રાજકારણ ગરમાયું છે.  


રાજ્યપાલ સાથે 40 મીનિટ સુધી કરી ચર્ચા 

બિહારના રાજકારણમાં ગરમાવો આવ્યો છે કારણ કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે અચાનક રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. રાજ્યપાલ સાથેની મુલાકાત 40 મીનિટ સુધી ચાલી હતી. મુખ્યમંત્રી સાથે મંત્રી વિજય ચૌધરી પણ હાજર હતા. એક તરફ એવા સમાચાર સામે આવ્યા છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાઈ શકે છે. 


આ મુદ્દાઓ પર કરવામાં આવી ચર્ચા

સૂત્રો પાસેથી માહિતી સામે આવી છે કે આ બેઠકમાં બજેટ સત્ર અંગે ચર્ચા કરવામાં આવી છે. બજેટ સત્ર વિશે ચર્ચા થઈ ઉપરાંત બીજા અનેક વિષયો પર આ બેઠકમાં ચર્ચા થઈ હોવાની માહિતી સામે આવી છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.