Biharમાં મુખ્યમંત્રી Nitish Kumar ગમે ત્યારે આપી શકે છે રાજીનામું! RJD નેતાએ આપી નીતિશ કુમારને ચેતવણી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-27 12:27:59

ગઈકાલથી બિહારમાં ચાલી રહેલું રાજકારણ ચર્ચામાં છે. ગમે ત્યારે નીતિશ કુમાર એનડીએમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બિહારના મુખ્યમંત્રી તરીકે ફરી એક વખત નિતીશ કુમાર શપથ લઈ શકે છે તેવી વાતોએ જોર પકડ્યું છે. મળતી માહિતી અનુસાર નિતીશ કુમાર કોંગ્રેસ તેમજ આરજેડીથી નારાજ છે. ઉપરાંત ઈન્ડિયા ગઠબંધનમાંથી પણ તે છેડો ફાડી એનડીએમાં જોડાઈ શકે છે. મુખ્યમંત્રી તરીકે પણ તે શપથ લઈ શકે છે તેવી વાતો સામે આવી છે. 

બિહારના ઉપમુખ્યમંત્રીએ આપી પ્રતિક્રિયા!

નીતિશ કુમારે અનેક વખત પક્ષપલટો કર્યો છે. કોઈ વખત એનડીએમાં હોય છે તો કોઈ વખત આરજેડી, કોંગ્રેસ વાળા ખેમામાં હોય છે. ગઈકાલથી સમાચાર સામે આવ્યા છે કે ગમે ત્યારે નીતિશ કુમાર એનડીએમાં જઈ શકે છે તે વાતથી રાજકારણ ગરમાયું છે. એનડીએમાં ગમે ત્યારે નીતિશ કુમાર જોડાઈ શકે છે તેવી વાતો પર આરજેડી નેતા અને બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે પ્રતિક્રિયા આપી છે. મીડિય રિપોર્ટ અનુસાર તેમણે જણાવ્યું છે કે આસાનીથી તે સરકારને નહીં પડવા દે. અમે બીજી વખત સરકાર પણ નહીં બનવા દઈએ.    


 

લાલુ પ્રસાદ યાદવે અનેક વખત નીતિશ કુમારને ફોન કર્યા પરંતુ...

એવી માહિતી પણ સામે આવી છે કે આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવે આ સમાચાર મળતા નીતિશ કુમાર સાથે વાત કરવાની કોશિશ કરી. શુક્રવારે લાલુ પ્રસાદ યાદવે નીતિશ કુમાર સાથે વાત કરવા માટે અનેક વખત ફોન કર્યા પરંતુ તેમણે ફોન ન ઉઠાવ્યો. એવી  માહિતી સામે આવી રહી છે રાષ્ટ્રીય જનતા દળે મીટિંગ બોલાવી છે. તેજસ્વી યાદવે સરકારી આવાસ પર પાર્ટી વિધાયકોની બેઠક બોલાવી છે અને આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે નીતિશ કુમાર આગળ શું કરે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.