ડમી કાંડ - તોડ કાંડમાં થયો મોટો ખુલાસો! યુવરાજસિંહે પૈસાનું રોકાણ દહેગામમાં કર્યું! સામે આવ્યા સીસીટીવી ફૂટેજ!


  • Published By :
  • Published Date : 2023-05-02 12:39:29

ડમી કાંડ તોડ કાંડ મામલે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. ડમી કાંડમાં નામ ન લેવા માટે યુવરાજસિંહે પૈસા લીધા હતા તેવા આક્ષેપો લાગ્યા હતા. જે બાદ .યુવરાજસિંહને પોલીસે સમન્સ જાહેર કર્યા હતા અને જે બાદ યુવરાજસિંહ પોલીસ સમક્ષ હાજર રહ્યા ત્યારે લાંબી પૂછપરછ બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને જે બાદ પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. ત્યારે વધુ એક ખુલાસો આ કેસમાં થયો છે. એસઆઈટીની ટીમ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી જેમાં સામે આવ્યું કે ધોળકાના રુપિયાનું રોકાણ યુવરાજસિંહે દહેગામમાં કર્યું હતું. . યુવરાજસિંહના સસરા અને શિવભાના પિતાએ ભાવનગરના આંગડિયામાંથી દહેગામ 6 લાખ રુપિયા મોકલ્યા હતા. આ અંગેના સીસીટીવી સામે આવ્યા છે.      


યુવરાજસિંહને કરાયા જેલ હવાલે!

સમગ્ર રાજ્યમાં ડમી કાંડને લઈ ચર્ચાઓ થઈ રહી છે. યુવરાજસિંહ વિરૂદ્ધ એક કરોડની ખંડણી ઉઘરાવવનો આરોપ લાગ્યો છે. આ મામલે યુવરાજસિંહ, તેમના સાળા સહિત 6 લોકો વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે રોજ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસની કસ્ટડીમાં આવ્યા બાદ યુવરાજસિંહના સાળા પાસેથી પોલીસે પૈસા રિકવર કર્યા છે. યુવરાજસિંહના રિમાન્ડ પૂર્ણ થયા બાદ ગઈકાલે તેમને કોર્ટ સમક્ષ હાજર કરાયા હતા. પરંતુ રિમાન્ડને વધારવામાં આવ્યા ન હતા. જે બાદ તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.


જેલ જતાં પહેલા યુવરાજસિંહે આપ્યું હતું નિવેદન!

કોર્ટમાં જ્યારે યુવરાજસિંહને હાજર કરવામાં આવ્યા હતા ત્યારે તેમણે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે આ તો માત્ર હજૂ એક શરૂઆત છે, અંત હજુ બાકી છે. આ તો હજુ અલ્પવિરામ છે પૂર્ણવિરામ નથી. સમય જવા દો, પાંચ પાંડવો આવશે અને હજું બીજું ઘણું બધુ સામે આવશે. 


સીસીટીવી આવ્યા સામે!  

મહત્વનું છે કે આ મામલે પોલીસ દ્વારા એકદમ ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક કરોડની રકમમાંથી અનેક લાખો પોલીસે રિકવર કરી લીધા છે. ત્યારે આ મામલે વધુ એક પુરાવો મળ્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે યુવરાજસિંહે દહેગામમાં રોકાણ કર્યું હતું. યુવરાજસિંહના સસરા અને તેમના સાળાએ 6 લાખ આંગડિયામાંથી દહેગામ મોકલ્યા હતા. આના સીસીટીવી પણ સામે આવ્યા છે.         



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.