Paytm પર RBIની મોટી કાર્યવાહી... 29 ફેબ્રુઆરી પછી બેંકિંગ સેવાઓ નહીં આપી શકે, ગ્રાહકોનું શું થશે?


  • Published By :
  • Published Date : 2024-01-31 20:44:19

ઓનલાઈન પેમેન્ટ સર્વિસ આપતી જાયન્ટ કંપની Paytmને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી મોટો ફટકો પડ્યો છે. બુધવારે ડિજિટલ પેમેન્ટ અને ફાઇનાન્શિયલ સર્વિસ કંપની Paytmની બેંકિંગ શાખા Paytm પેમેન્ટ બેંક પર નવા ગ્રાહકો જોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એટલે કે હવે કોઈ નવો ગ્રાહક PPBLમાં જોડાઈ શકશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બુધવારે આ આદેશ જારી કર્યો છે.


ડિપોઝીટ-ટોપઅપ સ્વીકારવામાં આવશે નહીં


પેટીએમ પેમેન્ટ બેંકમાં નવા ગ્રાહકો ઉમેરવા પર નિયંત્રણો લાદવા ઉપરાંત, RBIએ એક આદેશ પણ જારી કર્યો છે કે પેટીએમ પેમેન્ટ બેંકને 29 ફેબ્રુઆરી 2024 પછી કોઈપણ ગ્રાહકના ખાતા, વોલેટ અને FASTagમાં ડિપોઝીટ/ટોપ-અપ સ્વિકારી શકશે નહીં. બેંક ગ્રાહકોને તેમના ખાતામાંથી બચત ખાતું, કરંટ એકાઉન્ટ, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, FASTag, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC) સહિત તેમના ખાતામાંથી કોઈપણ પ્રતિબંધ વિના બેલેન્સ ઉપાડવા અથવા વાપરવાની મંજૂરી આપવામાં આવશે. એટલે કે, RBI દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સેવિંગ્સ બેંક એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ અને FASTagમાં પહેલાથી જ જમા કરાયેલી રકમ કોઈપણ પ્રતિબંધ વિના ઉપાડી શકાય છે અથવા તેનો ઉપયોગ કરી શકાય છે. આરબીઆઈએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ-1949ની કલમ 35A હેઠળ Paytm પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે.


RBIએ પેટીએમ પર શા માટે કાર્યવાહી કરી?


પેટીએમ પેમેન્ટ બેંક પર રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી અંગે કહેવામાં આવ્યું છે કે ઓડિટ રિપોર્ટ અને એક્સટર્નલ ઓડિટર્સ દ્વારા ચકાસવામાં આવેલ રિપોર્ટ બાદ પેટીએમની બેંકિંગ સર્વિસમાં બિન-અનુપાલન અને મટિરિયલ સુપરવાઈઝરી ચિંતાઓ સામે આવી છે. આ બધાની વચ્ચે, આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આદેશ હેઠળ, નવા ગ્રાહકોને ઉમેરવા પર પ્રતિબંધની સાથે, વર્તમાન ગ્રાહકોના ખાતામાં ટ્રાન્ઝેક્શન પર પણ 29 ફેબ્રુઆરી 2024થી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે