'વિશ્વ તમાકુ નિષેધ દિવસ' પર લેવાયો મોટો નિર્ણય, OTT પ્લેટફોર્મના કન્ટેન્ટમાં તમાકુની બતાવી પડશે ચેતવણી, નિયમો કરાયા જાહેર


  • Published By :
  • Published Date : 2023-05-31 16:15:31

દર વર્ષે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તમાકુ સેવન આરોગ્ય માટે જીવલેણ સાબિત થતું હોય છે. તમાકુનું સેવન કરવાથી દર વર્ષે અંદાજીત 80 લાખ જેટલા લોકોના મોત થાય છે. 13 લાખથી વધુ મોત ભારતમાં થાય છે. ત્યારે લોકોમાં આ અંગે જાગૃતિ લાવવા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ઓટીટી પ્લેટફોર્મ પર તમાકુ વિરોધી ચેતાવણી દર્શાવવા સૂચના આપવામાં આવી છે. તંબાકુ વિરોધી ચેતવણી ઓટીટી પ્લેટફોર્મ પર બતાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો આ નિયમનું પાલન નહીં કરવામાં આવે તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તેમજ સૂચના પ્રસારણ મંત્રાલય દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.


ઓટીટી પર બતાવવી પડશે તમાકુ વિરોધી ચેતવણી

ઓટીટી પ્લેટફોર્મનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. સિરિઝ તેમજ ફિલ્મો જોવા માટે ઓટીટીને લોકો પસંદ કરી રહ્યા છે. ત્યારે ઓટીટી પ્લેટફોર્મ માટે નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. તમાકુ વિરોધી ચેતવણી ઓટીટી પ્લેટફોર્મ પર બતાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કોઈ ઓટીટી પ્લેટફોર્મ ચેતવણીને નહીં માને તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 30 સેકેન્ડનો સ્પોટ તમાકુ વિરોધી જાણકારી આપવા માટે બતાવવું પડશે. જાણકારીમાં તમાકુના સેવનથી થતાં નુકસાન અંગે જાણકારી બતાવવામાં આવશે. નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે કે સિનેમા હોલ અને ટેલિવિઝન ચેનલોમાં ફિલ્મ અને ટેલિવિઝન કાર્યક્રમની શરૂઆતમાં અને મધ્યમાં ઓછામાં ઓછી 30 સેકેન્ડની તમાકુ વિરોધી ચેતવણી પ્રદર્શિત કરવી પડશે. 


લોકોમાં જાગૃત્તિ લાવવા કરાયો પ્રયાસ!

મહત્વનું છે તમાકુ સેવનમાં ભારત ટોપ દેશોમાં જોવા મળે છે. લોકોમાં તમાકુ દ્વારા થતાં નુકસાન અંગે લોકોને જાગૃત કરવા અનેક કાર્યક્રમો લોન્ચ કરવામાં આવ્યા છે. દર વર્ષે લાખો લોકોના મોત તમાકુ સેવનના કારણે થતાં હોય છે. ત્યારે લોકોમાં જાગૃત્તિ લાવવા એક વધારે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે જ આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!