અદાણી શેરોના ભાવ ગગડતા અદાણી ગ્રુપે લીધો મોટો નિર્ણય, 20 હજાર કરોડનો FPO કર્યો રદ્દ


  • Published By :
  • Published Date : 2023-02-02 13:10:24

હિંડનબર્ગ રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. શેર માર્કેટમાં લિસ્ટ કંપનીના શેરોમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. શેરબજારની વર્તમાન સ્થિતિમાં જૂથની કંપનીઓના શેરમાં જોવા મળેલા કડાકાને કારણે કંપનીએ ફોલોઓન પબ્લિક ઓફર રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે અને રોકાણકારોને નાણા પરત કરવાનો નિર્ણય કર્યો છે.  અદાણી ગ્રુપે 20 હજાર કરોડના એફપીઓને રદ્દ કરી દીધા છે. બુધવાર રાત્રે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઈક્વિટી શેરની ફેસ વેલ્યુ એક રુપિયા હતો અને અંતિમ દિવસે આ એફપીઓ ફુલી સબસ્ક્રાઈબ થઈ ગયો હતો.

  

રોકાણકારોના નાણાં પરત કરવાનો નિર્ણય કર્યો  

જાન્યુઆરી મહિનામાં આવેલા હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપને અબજો રૂપિયાનું નુકસાન થઈ ગયું હતું. ધનિક વ્યક્તિઓના લિસ્ટમાંથી તેમનું નામ નીકળી ગયું હતું. મંગળવારે એચએનઆઈ, ઉદ્યોગપતિ તેમજ ધનિક લોકોના સહકારથી કંપનીનો એફપીઓ 1.12 ગણો ભરાઈ ગયો હતો. ત્યારે બુધવારે મળેલી બેઠકમાં એફપીઓ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 


અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં કડાકો આવતા એફપીઓ કરાયો રદ્દ

ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે કપરી પરિસ્થિતિમાં અમારા બિઝનેસ અને મેનેજમેન્ટ પર વિશ્વાસ રાખવા માટે રોકાણકારોનો આભાર માનું છું. બજેટના દિવસ દરમિયાન કંપનીના શેરોમાં ભારે લે-વેચ જોવા મળી હતી. 35 ટકા જેટલો ઘટાણો નોંધાયો હતો તે ઉપરાંત અદાણીનું માર્કેટકેપ 50 ટકા જેટલું ધોવાઈ ગયું હતું. ત્યારે અદાણી જૂથની કંપની અદાણી એન્ટરપ્રાઈઝે સંપૂર્ણ ભરાઈ ગયેલા એફપીઓને આગળ નહીં વધારવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે વર્તમાન અસાધારણ સ્થિતિને જોતાં રોકાણકારોના હિતમાં એફપીઓના નાણા પરત આપવાનો નિર્ણય કરાયો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.